બજેટમાં અમીરો પર વધારે સરચાર્જ લગાવવાના પ્રસ્તાવ પર કેન્દ્ર સરકારનું એક જુથ સહમત નથી. એમનું માનવું છે કે સરકારના આ પગલાથી નવા રોકાણકારો હતોત્સાહિત થશે અને વધારે સંપત્તિ વાળા લોકોનો ભારત છોડવાનો ટ્રેન્ડ વધી જશે.
આપને જણાવીએ કે હાલમાં જ બજેટનું ફોક્સ એ વાત પર રહ્યું છે કે દેશમાં સુસ્ત પડેલા રોકાણને ખાનગી ભાગીદારી દ્વારા બેઠું કરવામાં આવે. જોકે, અમીરો પર સરચાર્જના પ્રસ્તાવને તેથી ઉલટુ પગલું માનવામાં આવે છે.
એનડીએ સરકારના એક ટોચના નીતિ નિર્માતાએ નામ ન સાર્વજનિક કરવાની શરતે ધ ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું કે સરચાર્જનો રોકાણ પર ખુબ જ ખરાબ અસર પડશે. તેથી 'યૂનિકોર્ન' એટલે તે ટેક સ્ટાર્ટઅપ કંપનીઓ જેમની માર્કેટ વેલ્યૂ 1 બિલિયન ડોલરથી વધારે છે. હતોત્સાહિત થશે. ઉપરાંત, ઉચ્ચ આવક ધરાવતા વર્ગની સંખ્યા દેશમાં વધવાથી પણ ખરાબ અસર પડશે.
અધિકારીએ કહ્યું, 'જો અમે 2 કરોડ રૂપિયાથી વધારે કમાતા લોકો પર વધારે સરચાર્જ લગાવીશું તો શક્ય છે કે પછી તે ભારતમાં રોકાણ ન કરવા ઇચ્છે અને દેશ છોડીને અન્ય જગ્યાએ રહેવાનું વિચારે. આશા છે કે આ પ્રસ્તાવોમાં કેટલાક બદલાવ કરવામાં આવશે જ્યારે નાણામંત્રી સંસદમાં ફાઇનાન્સ બિલ પર જવાબ આપશે.'
આપને જણાવીએ કે, સરકારને આશા છે કે સુપર રિચ શ્રેણીમાં ટેક્સ આપનાર પર સરચાર્જ લગાવી 12 હજાર કરોડનો રેવન્યૂ હાંસલ થશે. જોકે, એક્સપર્ટસે ચેતવણી આપી છે કે તેની તદ્દન વિરોધી અસર રોકાણ પર પડી શકે છે.