સોશિયલ મીડિયા પર ઘણીવાર અજીબોગરીબ વસ્તુઓ પણ ટ્રેન્ડ કરવા લાગે છે. હાલમાં જ એ એવો કિસ્સો સામે આવ્યો છે. એક ટ્વિટર યુઝરે એક ઓનલાઈન પિટિશન સાઈન કરી છે. જેમાં તેણે અમિતાભ બચ્ચન અને આનંદ મહિન્દ્રાને તેમના ફોનમાંથી વોટ્સએપ ડિલીટ કરવાની અપીલ કરવામાં આવી છે. આ પિટિશનના સપોર્ટમાં એક વિચિત્ર દલીલ પણ કરવામાં આવી છે.
ફરી વિવાદોમાં ફસાયા અમિતાભ બચ્ચન
અમિતાભનું વોટ્સએપ ડિલીટ કરવાની અપીલ કરવામાં આવી
અમિતાભ બચ્ચન ફેક ન્યૂઝના શિકાર થયા હતા
શું છે આ ઓનલાઈન પિટિશન
આ પિટિશનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, એક બોલિવૂડના મેગાસ્ટાર અને બીજા જાણીતા ઉદ્યોગપતિ અવારનવાર ફેક ન્યૂઝ અને અજીબ કન્ટેન્ટના શિકાર બને છે. તેમણે પોતાની મર્યાદા જાળવી રાખવી જોઈએ. જેથી તેમનો નંબર વ્હોટ્સએપ પરથી ડિસેબલ કરવા માર્ક ઝકરબર્ગને અપીલ છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા થોડાં દિવસોમાં અમિતાભ બચ્ચન લગભગ બેવાર ફેક ન્યૂઝના શિકાર થયા હતા. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, જનતા કર્ફ્યૂમાં તાળીઓ પાડવાથી કેવી રીતે કોરોના વાયરસ મરી જશે. આ ટ્વિટના કારણે અમિતાભ બચ્ચનને ટ્વિટર પર ખૂબ ટ્રોલ કરવામાં આવ્યા હતા. બાદમાં બિગ બીએ આ ટ્વિટ ડિલિટ કર્યું હતું. આ ઉપરાંત બિગ બીએ અન્ય એક અજીબ ટ્વિટ કર્યું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે, મનુષ્યના મળ-મૂત્ર પર કોરોના વાયરસ ઘણાં અઠવાડિયા
સુધી જીવતો રહી શકે છે અને તે માખી દ્વારા ફેલાઈ શકે છે. જોકે, બાદમાં સ્વાસ્થ્ય મંત્રાલયે બિગ બીના આ દાવાને નકાર્યો હતો.
આ ઓનલાઈન પિટિશન ફાઈલ કરતા જ ટ્વિટર પર અનઈન્સ્ટોલ વોટ્સએપ ટ્રેન્ડ કરવા લાગ્યું. અત્યાર સુધી 1000થી વધુ લોકો આ પિટિશનને સમર્થન આપી ચૂક્યા છે અને આ સંખ્યા સતત વધી રહી છે. જોકે, અમિતાભ બચ્ચને હજી સુધી આ અંગે કોઈ રિએક્શન આપ્યું હતું.