શિવસેનાએ કહ્યુ કે, ''અમને આશા છે દેશમાં યૂનિફોર્મ સિવિલ કોડ જલ્દી લાગૂ કરી દેવામાં આવશે. આ સાથે જ ટ્રિપલ તલાક બિલ અને આર્ટિકલ 370 ખત્મ કરવાની શરૂઆત થઇ ગઇ છે.''
શિવસેના નેતા સંજય રાઉત અનુસાર, ''સરાકર ટ્રિપલ તલાક બિલ લઇને આવી અને જમ્મૂ-કાશ્મીરમાં આર્ટિકલ 370ને હટાવી દીધો, હવે દેશમાં યૂનિફોર્મ સિવિલ કોડ લાવવાની દિશામાં શરૂઆત થશે. મને લાગે છે કે, દેશમાં આ નિયમ જલ્દી લાગૂ કરી દેવામાં આવશે.''
Sanjay Raut, Shiv Sena: The government has brought Triple Talaq Bill and revoked Article 370 in Jammu and Kashmir, it is a beginning towards bringing a uniform civil code in the country. I think it will be implemented in the country soon. pic.twitter.com/OZQvmLTG7D
તમને જણાવી દઇએ કે, શિવસેનાએ આર્ટિકલ 370ના હેઠળ જમ્મૂ-કાશ્મીરને વિશેષ દરજ્જાને સમાપ્ત કરવાના સરકારના નિર્ણયને ઐતિહાસિક કરાર આપ્યો અને સદનમાં એક સ્વરમાં તેને સમર્થન કરવાની અપીલ કરીને જેનાથી રાજ્યના લોકોનો વિકાસ સુનિશ્ચિત થાય અને પ્રદેશની મુખ્યધારાઓ ખરા અર્થમાં જોડાઇ શકે. લોકસભામાં જમ્મૂ-કાશ્મીર પુરર્ગઠન બિલ 2019 પર ચર્ચામાં હસ્તક્ષેપ કરતા કેન્દ્રીય મંત્રી તથા શિવસેનાના નેતા અરવિંદ સાવંતે કહ્યુ કે, ''બાલા સાહેબ ઠાકરેએ પોતાની વાણી, લેખન અને પ્રિન્ટિંગ બ્રશથી તમામ જગ્યાએ કાશ્મીરને સ્થાન આપ્યુ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 5 ઓગસ્ટ 2019 તે સાકાર કર્યુ.''
અરવિંદ સાવંતે આગળ કહ્યુ કે, આર્ટિકલ 370 ને કારણે ખોટા લોકો આગળ આવ્યા પરંતુ ત્યાંના લોકોને કોઇ ફાયદો ના થયો. કાશ્મીરી પંડિતોને પ્રદેશ છોડીને ભાગવુ પડ્યુ. જો બંધારણમાં કોઇ જોગવાઇ અસ્થાયી છે અને તેમાં સુધારો કરવામાં આવી રહ્યો છે તો તેનો વિરોધ કેમ થવો જોઇએ? આ સાથે જ શિવસેનાએ કહ્યુ કે, ''વિચારવુ જોઇએ કે આર્ટિકલ 370ને કારણે કાશ્મીરની જનતાને સૌથી વધારે નુકસાન થયુ છે. સદનમાં એક સ્વરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સમર્થન કરવુ જોઇએ. તેમણે આરોપ લગાવ્યો હતો કે. આર્ટિકલ 370ના કારણે જમ્મૂ-કાશ્મીરના દેશના ઘણા મહત્વના કાયદા લાગૂ નથી થતા અને તેનું નુકસાન માત્ર રાજ્યના લોકોને થયુ છે.''
શું છે યૂનિફોર્મ સિવિલ કોડ:
યૂનિફોર્મ સિવિલ કોડ લાગુ થયા પછી દેશમાં દરેક નાગરિક માટે એક સમાન કાયદો ગણાશે. સિવિલ કોડ લાગુ થયા પછી તે ફરક નહીં પડે કે તે કયા ધર્મ કે જાતિ સાથે સંબધ રાખે છે. હાલ દેશમાં અલગ-અલગ ધર્મો માટે અલગ-અલગ પર્સનલ લો છે. યૂનિફોર્મ સિવિલ કોડ લાગુ થવાથી દરેક ધર્મ અને જાતિ માટે એક જેવો કાયદો લાગુ થઈ જશે. આ કાયદાથી મહિલાને પોતાના પિતાની સંપત્તિ ઉપર અધિકાર અને દત્તક લેવા જેવા મામલામાં પણ એક સરખો નિયમ લાગુ થઈ જશે.
યૂનિફોર્મ સિવિલ કોડના ફાયદા:
અલગ-અલગ ધર્મોના કાયદા અલગ હોવાથી કોર્ટ પર બોજ પડે છે.યૂનિફોર્મ સિવિલ કોડ લાગૂ થાય તો વર્ષોથી પેંડિંગ કેસમાં જલ્દી નિર્ણય થાય. લગ્ન, દત્તક અને મિલકતના કેસમાં તમામને યૂનિફોર્મ સિવિલ કોડ લાગૂ પડે, અત્યારે દરેક ધર્મના લોકોને લગ્ન, મિલકતમાં અલગ-અલગ કાયદો લાગૂ પડે છે. તમામ લોકો પર એક જ યૂનિફોર્મ સિવિલ કોડ થવાના કારણે એકતા વધશેજે દેશના લોકોમાં એકતા હોય ત્યાં વૈમનસ્ય હોતું નથી. જ્યાં વૈમનસ્ય ન હોય તે દેશનો વિકાસ ખૂબ જલદી થાય છે. તમામ પર સરખા કાયદાને કારણે રાજકારણીઓ વોટ બેંકનું રાજકારણ નહી કરી શકે મતોના ધ્રુવીકરણની સમસ્યા યૂનિફોર્મ સિવિલ કોડથી ખતમ થઈ જશે.