આપણુ આરોગ્ય એ જ સૌથી મોટી સંપત્તિ છે, જેની અવગણના કરવાથી તમે અનેક બિમારીઓના શિકાર બની જાઓ છો. જેના કારણે તમારું શરીર નબળુ થાય છે અને વૃદ્ધાવસ્થાની અસર તરત આવે છે.
આ આદતો હોય તો આજથી જ કાઢી નાખજો
નહીંતર તમારા શરીરનું સત્યાનાશ નક્કી થશે
જાણો તમારે કઈ-કઈ ખરાબ આદતોથી દૂર રહેવુ જોઈએ
શરીરને નબળી પાડતી આદતો
લીલી શાકભાજી ના ખાવી
જો તમે પણ આ ખરાબ આદતોના શિકાર થયેલા છો, તો તમારા શરીરનું સત્યાનાશ થવુ લગભગ નક્કી છે. આવો જાણીએ કે સ્વસ્થ રહેવા માટે તમારે કઈકઈ ખરાબ આદતોથી દૂર રહેવુ જોઈએ. ડાયટમાં લીલી શાકભાજીનો સમાવેશ ના કરવાની આદત ઘણી પેટ અને શરીરની સમસ્યાઓ ઉભી કરી શકે છે. દરરોજ લીલી શાકભાજી ખાવાથી શરીરને પૂરતુ પોષણ મળે છે. તમે શિમલા મિર્ચ, ગાજર, ટામેટા, ડુંગળી જેવા ફૂડ્સને દરરોજ ખાવો.
જંક ફૂડ ખાવુ
વ્યસ્ત રહેવાને કારણે લોકો પેકેટબંધ અને જંક ફૂડ ખાવા લાગ્યા છે. જેના કારણે શરીરમાં શુગર, ટ્રાન્સ ફેટ અને સોડિયમની માત્રા વધુ રહી છે. આ ચીજવસ્તુઓ કેન્સર, હાર્ટની બિમારીઓ, હાઈ બ્લડ પ્રેશર, ઈન્ફેક્શન, નબળી ઈમ્યુન સિસ્ટમ જેવી સમસ્યાઓનો શિકાર થઇ શકે છે.
અસ્વસ્થ આદત
આખો દિવસ બેસી રહેવુ અને ફિઝીકલ એક્સરસાઈઝ ના કરવાથી જીવનશૈલી ખરાબ થઇ રહી છે. ખરાબ લાઈફસ્ટાઈલ મસલ્સ અને શારીરીક અવયવોને નબળા બનાવી નાખે છે અને ડાયાબિટીસ, મેદસ્વિતા, નબળા હાડકા, સ્ટ્રોક, હૃદયરોગનો હુમલો વગેરેનુ જોખમ વધારે છે.
પૂરતી ઉંઘ ના લેવી
જો તમે દરરોજ 8-9 કલાક ઉંઘ નથી લેતા તો તમને શારીરિક અને માનસિક થાક લાગી શકે છે. અપૂરતી ઉંઘ હાર્ટ એટેક, અસામાન્ય ધબકારા, હાઈ બ્લડ પ્રેશર, ઈન્સોમ્નિયા, તણાવ, હતાશા વગેરેનુ કારણ બની શકે છે.