જીનેવા સ્થિત UNHRC માં કાશ્મીર આધારિત સેશનમાં ભારત અને પાકિસ્તાન બંને દેશોએ પોતાનો દાવો રજૂ કર્યો. વૈશ્વિક મંચ પર પછડાટ ખાધેલા પાકિસ્તાને UNHRCમાં ખોટા આરોપો દ્વારા ભારતને ઘેરવાનો પ્રયત્ન કર્યો. પાકિસ્તાન લગભગ દરેક જગ્યા પર ભારત વિરુધ્ધ પોતાના ખોટા નિવેદનો લઇને જતું હોય છે.
તેમ છતાં આ અગાઉ પણ પાકિસ્તાનને યુએન, IOC સહિત ઘણા મંચો પર પરાજયનો સામનો કરવો પડ્યો છે. પાકિસ્તાનને માત્ર ચીને સમર્થન આપ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ પોતાના દેશનો પક્ષ રાખ્યો હતો, ત્યારબાદ ભારતે તેને લઇને જવાબ આપ્યો હતો.
UNHRCની બેઠકમાં ભાગ લેવા પહોંચેલા પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમુદ કુરેશીએ અંતમાં જમ્મૂ-કાશ્મીર 'ભારતનું રાજ્ય' છે તેમ સ્વીકાર કર્યો હતો. જેને લઇને હવે પાકિસ્તાન સત્તાવાર નિવેદનમાં જમ્મૂ-કાશ્મીરને 'ભારત પ્રશાસિત કાશ્મીર' જણાવી રહ્યું છે.
India rejects Pakistan's false narrative on J-K, says terrorism worst form of human rights abuse
સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)માં પાકિસ્તાને જમ્મૂ-કાશ્મીર અંગે ખોટી રજૂઆત કરી. ભારત દ્વારા પોતાના બંધારણીય માળખા મુજબ ધારા 370ને લઇને નિર્ણય કર્યો છે. ભારત આ મુદ્દા પર ત્રીજા કોઇ પક્ષનો સ્વીકાર કરશે નહીં, આ તેનો આંતરિક મામલો છે.
Indian diplomat from J&K, Vimarsh Aryan, rebutted Pakistan's "fabricated narrative" over Kashmir at UNHRC in Geneva
પાકિસ્તાન આતંકવાદનું કેન્દ્ર છે અને તેઓ વૈકલ્પિક કૂટનીતિ હેઠળ સરહદ પારથી આતંકવાદનું સંચાલન કરે છે. કુરેશીના ધારા-370 હટાવવાના સવાલને લઇને ઠાકુરે મુહતોડ જવાબ આપતાં કહ્યું કે ભારતે જમ્મૂ-કાશ્મીરમાં સામાજિક અને આર્થિક સમાનતા તેમજ ન્યાય માટે આ પગલું લીધું છે.