સર્જરી બાદ ટીમ ઈન્ડિયામાં વાપસી કરવાનો પ્રયાસ કરી રહેલા ઓલરાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યા તાજેતરમાં જ ફિટનેસ ટેસ્ટમાં નિષ્ફળ ગયો હતો. આ કારણે ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. મળતી માહિતી પ્રમાણે, પંડ્યાની ફિટનેસ આંતરરાષ્ટ્રીય ક્રિકેટની જરૂરિયાતો અનુસાર નથી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાછા ફરવા માટે તેણે બરોડા માટે ઓછામાં ઓછી એક ઘરેલુ મેચ રમવી પડશે. તે પછી જ, દક્ષિણ આફ્રિકા સામેની ઘરેલુ વનડે સીરિઝ માટે તેના નામ પર વિચાર કરવામાં આવે તેવી સંભાવના છે.
સર્જરી બાદ ટીમ ઈન્ડિયામાં વાપસી નહીં કરી શકે હાર્દિક
ફિટનેસ ટેસ્ટમાં થઈ ગયો નિષ્ફળ
હવે આઈપીએલમાં ક્રિકેટના મેદાનમાં વાપસી કરશે હાર્દિક
જોકે, બીસીસીઆઈએ જસપ્રીત બુમરાહ અને ઋદ્ધિમાન સાહાને ઘરેલુ ક્રિકેટમાં રમવા માટેની જવાબદારીમાંથી મુક્તિ આપી હતી. બંનેને રણજી ટ્રોફી મેચ રમવા પર પ્રતિબંધ હતો. હાર્દિક પંડ્યાએ બોલિંગથી જોડાયેલું પરીક્ષણ આપ્યું ન હતું. જે પીઠની ઈજા પછી બોલર માટે જરૂરી છે. બરોડાના આ 26 વર્ષીય ક્રિકેટરે દાવો કર્યો હતો કે, તે ન્યૂઝીલેન્ડ પ્રવાસની બીજી વનડે શ્રેણી માટે ફીટ થઈ જશે, પરંતુ બીસીસીઆઈના એક સૂત્રએ કહ્યું કે, તે પંડ્યાનું અંગત વ્યક્તિગત મત છે.
ફિટનેસ ટેસ્ટમાં નિષ્ફળ થઈ ગયો હાર્દિક
બીસીસીઆઈના એક સૂત્રએ ગુપ્તતાની શરતે જણાવ્યું હતું કે, તેને લાગ્યું કે તે હવે ફિટ છે પણ તેના ટ્રેનર એસ રજનીકાંતના દાવાથી વિરુદ્ધ તે ફિટનેસ ટેસ્ટમાં નિષ્ફળ થઈ ગયો. આ યો-યો પરીક્ષણ નહોતો, પરંતુ તે બોલિંગ ફિટનેસ માટેના વર્કલોડ પરીક્ષણમાં નિષ્ફળ ગયો, જેનો અર્થ મોટાભાગે ફિટનેસ ટેસ્ટમાં નિષ્ફળ થવાનો હતો.
હાર્દિક પંડ્યા હવે આઈપીએલમાં ક્રિકેટના મેદાનમાં વાપસી કરશે
અહેવાલ છે કે, હાર્દિક પંડ્યા હવે આઈપીએલમાં ક્રિકેટના મેદાનમાં વાપસી કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર હાર્દિક પંડ્યાને પાછા ફરવામાં બે મહિનાનો સમય લાગી શકે છે. મતલબ કે ન્યૂઝીલેન્ડ પ્રવાસ બાદ પંડ્યાને ભારત-દક્ષિણ આફ્રિકા વન-ડે સીરિઝની બહાર પણ કરી શકાય છે. ન્યૂઝીલેન્ડ પછી ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકા સામે ઘરેલુ ધરતી પર ત્રણ મેચની વન-ડે સીરિઝ રમવાની છે. આ સીરિઝ માર્ચમાં આઈપીએલ પહેલા રમવામાં આવશે.