એક રિપોર્ટ અનુસાર દેશમાં બેરોજગારી વધીને 14.5 ટકા પર પહોંચી ગઈ છે
દેશમાં બેરોજગારી વધીને 14.5 ટકા પર પહોંચી
એપ્રિલમાં બેરોજગારી તે 8 ટકા પર હતી
કોરોનાના કારણે બેરોજગારીમાં ખૂબ વધારો
કોરોનાકાળમાં લોકડાઉનના કારણે લાખો લોકોની નોકરી છીનવાઈ ગઈ છે. પાછલા થોડા વર્ષોથી શરૂ થયેલો આ સિલસિલો હજુ પણ યથાવત છે. એક રિપોર્ટ અનુસાર દેશમાં બેરોજગારી દર વધીને 14.5 ટકા પર પહોંચી ગયો છે. જે એપ્રિલમાં 8 ટકા પર હતો. જોકે આ સમયગાળાની તુલના એક વર્ષ પહેલાથી કરીએ તો 8 ટકા ઓછી છે. તેના એક અઠવાડિયા પહેલા એટલે કે 9મેએ સમાપ્ત સપ્તાહમાં બેરોજગારીનો દર 8.67 ટકા હતો.
અઠવાડિયામાં જ બેરોજગારીનો દર લગભગ બે ઘણો વધી ગયો
એટલે કે અઠવાડિયામાં જ બેરોજગારીનો દર લગભગ બે ઘણો વધી ગયો છે. આંકડા જણાવે છે કે આ પાછલા 49 અઠવાડિયાના સૌથી ઉચા સ્થાને છે. જો આવી જ પરિસ્થિતિ રહી તો આવનાર સમયમાં બેરોજગારીનો દર ગયા વર્ષથી પણ વધી શકે છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષમાં બેરોજગારી 21.73 ટકા રહી. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારે સંખ્યામાં મજૂરો મહાનગરો છોડીને ઘર તરફ પરત ફરી રહ્યા છે.
EPFOના કર્મચારીઓમાં પણ કમી
EPFO માં આ વર્ષે માર્ચમાં કુલ 11.22 લાખ કર્મચારીઓ જોડાયા. આ સંખ્યા આજ વર્ષે ફેબ્રુઆરીમાં ઈપીએફઓમાં જોડાયા 11.28 લાખ કર્મચારીઓના મુકાબલે ઓછી છે. ગયા નાણાંકીય વર્ષ 2020-21 સમયે ઈપીએફઓના કુલ 77.08 લાખ નવા સદસ્યોને જોડ્યા જ્યારે એક વર્ષ પહેલાના સમયગાળમાં આ સંખ્યા 78.58 લાખ હતી.
નિયમિત વેતન પર રાખવામાં આવતા કર્મચારીઓના આંકડાઓ દ્વારા આ જાણવા મળ્યું છે. આ આંકડા કોરોના મહામારીની વચ્ચે સંગઠિત ક્ષેત્રમાં રોજગારની સ્થિતિને જણાવે છે.