બેરોજગારીના સમયમાં રાજકોટ મનપામાં ક્લાર્કની 122 જેટલી જગ્યાઓ પર 30 હજારથી વધુ ઉમેદવારોની નોંધણી
મનપા ક્લાર્કની 122 જગ્યા માટે 30 હજાર અરજીઓ
મનપાના જૂનિયર ક્લાર્કની ભરતી માટે અરજીઓ
9 ફેબ્રુઆરી સુધી અરજીઓ સ્વીકારાશે
રાજકોટ મનપામાં ક્લાર્કની 122 જેટલી જગ્યાઓ પર ભરતીની જાહેરાત આવી ચૂકી છે. અને યુવાનો આ ભરતીમાં જોરશોરથી ભાગ લેવા માટે ફોર્મ ભરી રહ્યા છે. અત્યાર સુધીમાં 30 હજારથી પણ વધુ ઉમેદવારોએ પોતાની અરજી ઓનલાઈન ભરી દીધી છે. આંકડામાં જોવામાં આવે તો 122 જગ્યા પર 30 હજાર અરજી એટલે એક જગ્યા માટે 245 જેટલા ઉમેદવારો સાથે કોમ્પિટિશન કરવાની રહેશે. જો કે, હજુ પણ યુવાનો આ પોસ્ટ માટે પોતાની અરજી નોંધાવી રહ્યા છે. અને આગામી 9 ફેબ્રુઆરી સુધી અરજી કરી શકાશે.
મહત્વનું છે કે, સરકારી નોકરીઓ માટે યુવાનો તનતોડ મહેનત કરી રહ્યા છે. જેને લઈ કોઈપણ મોટા શહેરમાં ટ્રેનિંગ ક્લાસિસ પણ ખુલી ગયા છે. રોજગારી એક સમસ્યા છે. પરંતુ કેટલાક લોકો માટે શિક્ષણ એક આવકનું સાધન બની ગયું છે.
રાજકોટ મનપાની ચૂંટણીના માહોલમાં કેટલાક વિસ્તાર દ્વારા બહિષ્કાર
રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારના શાસ્ત્રીનગરના રહેવાસીઓએ ચૂંટણીના બહિષ્કારની જાહેરાત કરી છે. રાજકોટ વોર્ડ નં.1માં આવેલ શાસ્ત્રીનગર ખાતે રહેતા લોકો 20 વર્ષથી રસ્તા,ગટર,પાણી જેવી પાયાની સુવિધાઓથી વંચિત છે. તેને લઈને આ વખતે સ્થાનિકો નારાજ થઈને ચૂંટણી બહિષ્કારના મૂડમાં લાગી રહ્યા છે.