હાલમાં બેરોજગારીના પ્રમાણમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે ઠગબાજો દ્વારા લોકોને મોટી મોટી કંપનીઓમાં નોકરી આપવાના બહાને છેતરપિંડી કરવામાં આવી રહી છે. ત્યારે હવે આ પ્રકારની જ ઘટના ગીર સોમનાથના વેરાવળની સામે આવી છે. નોકરી આપવાના બહાને 300 યુવાનો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવી ઠગ ફરાર થઈ ગયા છે.
નોકરી મેળવવા ન ભરો રૂપિયા, કોઈ કંપની ઈન્ટરવ્યુ માટે નથી લેતી રૂપિયા
કોઈ રૂપિયા માગે તો થઈ જાઓ સાવધાન
આ પ્રકારના ઠગબાજોથી સાવધાન, નોકરીની લાલચ ભારે પડી શકે છે
વેરાવળના બાયપાસ રોડ પર ભાડે દુકાન રાખીને જોબ પ્લેસ્ટમેન્ટના નામે ઓફિસ શરૂ કરીને લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી. આ કંપની દ્વારા 300 જેટલા યુવાનોને નોકરીના સપના દેખાડીને છેતરપિંડી કરવામાં આવી. ત્રણ લોકો દ્વારા 300 જેટલા લોકો પાસેથી 10 હજારથી વધુ રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતા. નોકરી ન મળતા 300માંથી અત્યાર સુધી ચાર લોકોએ ફરિયાદ કરી. ચાર જાગૃત લોકોએ ફરિયાદ કરતા સમગ્ર મામલો સામે આવ્યો. પોલીસે ઠગબાજ ત્રણ લોકોને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
850 રૂપિયા લઈને ઈન્ટરવ્યુનું નાટક કરવામાં આવ્યુ
આ કંપનીના સંચાલકો દ્વારા લોકોને વોટ્સએપ અને મોબાઈલમાં ટેક્સ મેસેજ કરીને નોકરી આપવાની લાલચ આપવામાં આવી હતી. લોકોને મેસેજ કરીને ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવતા હતા. 15 જાન્યુઆરીએ વેરાવળના બાયપાસ રોડ પાસે પિયુષ પઢીયાર,વિશાલ ઝાલા અને જયું વાળા નામના ત્રણ ઠગબાજો દ્વારા લોકોને મેસેજ મોકલવામાં આવ્યા હતા. 300 જેટલા નોકરી ઈચ્છુકો પાસેથી 850 રૂપિયા લઈને ઈન્ટરવ્યુનું નાટક કરવામાં આવ્યુ.
કરોડો રૂપિયા લઈ ઉડન છુ
આ દરમિયાન લોકોને ફોન કરીને 10 હજાર રૂપિયા આપીને સારી કંપનીમાં નોકરી આપવાની લાલચ આપવામાં આવી. નોકરી ઈચ્છુક લોકોએ સારી કંપનીની લાલચને લઈને 10 હજારથી વધુ રૂપિયા ભર્યા. લોકોએ રૂપિયા ભર્યા બાદ કંપની દ્વારા ન તો નોકરી આપવામાં આવી અને ન તો રૂપિયા પરત કરવામાં આવ્યા.
પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
નોકરી માટે રૂપિયા ભરનારા લોકો દ્વારા જે તે કંપનીમાં તપાસ કરવામાં આવતા સમગ્ર મામલે છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યુ. ત્યાર બાદ આ ત્રણેય ઠગબાજો સામે ચાર લોકોએ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી.