આ વર્ષે માર્ચ-મેના સમયગાળામાં દેશમાં બેરોજગારી દર બે ઘણાથી વધારે થઈ ગયો છે કારણ કે મહામારીની બીજી લહેરે કામ-ધંધાને ખતમ કરી દીધો છે.
દેશમાં બેરોજગારીનો દર બે ઘણાથી વધારે વધી ગયો
મહામારીની બીજી લહેરે કામ-ધંધા ચોપટ કરી નાખ્યા
16 મે સુધી બેરોજગારી દર 14.45 ટકા હતો
આ વર્ષે માર્ચ-મેના સમયગાળામાં દેશમાં બેરોજગારીનો દર બે ઘણાથી વધારે વધી ગયો છે કારણ કે મહામારીની બીજી લહેરે કામ-ધંધા ચોપટ કરી નાખ્યા છે. એક પ્રાઈવેટ રિસર્ચે જાહેર કરેલા ડેટામાં આ જાણકારી આપવામાં આવી છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી દ્વારા જાહેર કરેલા સાપ્તાહિક બેરોજગારીના આંકડા અનુસાર, આ વખતે મહામારી અને તેના કારણે લગાવવામાં આવેલા પ્રતિબંધોના કારણે થયેલું નુકશાન ગ્રામીણ આબાદીને પણ ભોગવવું પડી રહ્યું છે.
16 મે સુધી બેરોજગારી દર 14.45 ટકા હતો
ગયા વર્ષે પહેલી લહેર વખતે, શહેરો મોટાભાગે પ્રભાવિત થયા હતા. સીએમઆઈઈના આંકડા જણાવે છે કે 16 મે સુધી બેરોજગારી દર 14.45 ટકા હતો. જ્યારે 14 માર્ચે આ આંકડા 6.63 ટકા હતો. ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં પણ સ્થિતિ સમાન રૂપથી દૈનિય છે. સીએમઆઈઈએ એ લોકોને બેરોજગારીના રૂપમાં વર્ગીકૃત કર્યા જેમણે નોકરીની શોધ કરી, પરંતુ એક અઠવાડિયામાં 1 કલાકથી ઓછુ કામ મેળવ્યું. ગંભીર સ્થિતિનો વધુ એક સંકેત ગ્રામીણ વિકાર મંત્રાલય દ્વારા જાહેર આંકડામાં જોવા મળી શકે છે. જેમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટીના હેઠળ આપવામાં આવેલા કામમાં ભારે વૃદ્ધિ થઈ છે. મનરેગા હેઠળ આપવામાં આવતું કામ ઓછુ છે અને વેતન આપવામાં મોટાભાગે મોડુ થાય છે. જેના કારણે મજૂરો તેને પ્રાથમિકતા ઓછી આપે છે.
મનરેગા હેઠળ મે મહિનામાં લગભગ 1.85 કરોડ લોકોને કામ આપવામાં આવ્યું
મંત્રાલયના આંકડા અનુસાર, મનરેગા હેઠળ મે મહિનામાં લગભગ 1.85 કરોડ લોકોને કામ આપવામાં આવ્યું છે. 2019ની તુલનામાં આ 52 ટકા વધુ છે. મનરેગા હેઠળ મજૂરીનો દર 16 રાજ્યોમાં કાયદેસર ન્યૂનતમ મજૂરી કરતા ઓછો છે. રાજ્યોનો ન્યૂનતન મજૂરી દર બજારમાં મળતી મજૂરી કરતા ઓછો છે. આ ઉપરાંત, મનરેગા હેઠળ કામ પૂર્ણ કર્યાના 15 દિવસ બાદ મજૂરોને વેતન આપવામાં આવે છે અને તેમ છતાં ચુવણીમાં મોડુ થાય છે.