યોગગુરુ બાબા રામદેવે કેદ્ર સરકારની આલોચના કરતા કહ્યું કે કેદ્ર સરકાર બેરોજગારીના મુદ્દે અસફળ રહી છે. મધ્યપ્રદેશ પહોંચેલા બાબા રામદેવે પત્રકારો સાથેની વાતચીતમાં સરકારને આડે હાથ લીધી હતી. બાબા રામદેવે કહ્યું કે સમગ્ર દેશમાં બેરોજગારીની મોટી સમસ્યા છે. કેદ્ર અને પ્રદેશ સરકાર આ મુદ્દાને લઈને અસફળ રહી છે.
એટલું જ નહીં બાબા રામદેવે પોતાના વખાણ કરતા કહ્યું કે તેઓ સ્વદેશી માધ્યમથી એક આત્મનિર્ભર દેશનું નિર્માણ કરી રહ્યાં છે. બેરોજગારી ગરીબી ભૂખ ભારત માતા માટે કલંક સમાન છે. મારો ઉદ્દેશ છે કે આ તમામ વિઘ્નોને દૂર કરું. ગત મહિને અમારા પતંજલી ગ્રૂપે 11 હજાર લોકોને રોજગારી અપાવી.
આગામી પાંચથી છ મહિનામાં એટલાં જ લોકોને રોજગારી આપવાનું અમારુ લક્ષ્ય છે. અમે લોકોએ વીસ હજાર યુવકોને નોકરી આપી છે. મધ્યપ્રદેશમાં 1500 લોકોને રોજગારી મળી છે. તેમણે કહ્યુ હતુ કે પતંજલી સંસ્થામાં કાસ્ટ રિલીજન ડિગ્રીથી વધારે કાર્યને મહત્વ આપવામાં આવે છે પતંજલી યોગપીઠમાં કાર્યના આધારે મૂલ્યાંકન થાય છે તથા સર્વ સમજાનો સમાવેશ છે. જણાવી દઈએ કે રાજ્યમાં વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે.