ગુજરાતમાં બાકી ભરતીઓને લઇને ગાંધીનગર ખાતે આજરોજ શિક્ષિત બેરોજગાર આંદોલનના આંદોલનકારીઓ અને આજે મંત્રીઓ વચ્ચે એક ખાસ બેઠકનું આયોજન આજે કરાયું હતું. આ બેઠકમાં રાજ્યના 38 હજાર યુવાનોને રોજગારી આપવાની માંગ કરવામાં આવી હતી.
શિક્ષિત બેરોજગાર સમિતિની બેઠક પૂર્ણ
બેઠકમાં ભરતી મુદ્દે કોઈ નિર્ણય લેવામાં ન આવ્યો
સરકારે સાથે સમિતિના સભ્યોની બેઠક મળી હતી
આ બેઠક પૂર્ણ થયાં બાદ બેરોજગાર આંદોલન સમિતિના સભ્ય રમજુભા જાડેજાએ જણાવ્યું હતું કે, પેન્ડિંગ ભરતીઓ ઝડપથી શરૂ થાય અને ગુજરાતના યુવાનોને ન્યાય મળે તેવી રજૂઆત સરકાર સમક્ષ કરવામાં આવી છે.
રમજુભા જાડેજાનું નિવેદન
આ સાથે જ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સરકારે વિભાગો સાથે ચર્ચા કરવાની બાંહેધરી આપી છે અને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ પણ ચર્ચા કરવામાં આવશે. તો આગામી દિવસોમાં ફરીથી બેઠક મળવાની પણ બાંહેધરી અપાઈ છે.
દિનેશ બાંભણિયાનું નિવેદન
ઉલ્લેખનીય છે કે, સરકાર સાથેની બેઠક બાદ દિનેશ બાંભણિયાએ વધુમાં જણાવ્યું હતું કે, ભરતીઓ રદ નથી થઈ પણ સ્થગિત રખાઈ છે અને બિન સચિવાલય ભરતીની નવી તારીખો જાહેર થશે તેવી ચર્ચાઓ પણ કરવામાં આવી હતી. બાંભણિયાએ વધુમાં જણાવ્યું કે,આજે ભરતી અંગે સરકારને રજૂઆતો કરી અને સરકારે અમારી રજૂઆત સાંભળી પણ હતી અને જે કોઈ નિર્ણય લેવામાં આવશે તેની જાણ થશે.
જો જરૂર પડશે તો ફરી સરકાર સાથે બેઠક કરીશું
બાંભણિયાએ કહ્યું કે, આજની બેઠકમાં બાકી પરીક્ષાઓ અંગે ચર્ચા કરી અને ટૂંક સમયમાં CM સાથે ચર્ચા બાદ નિર્ણયની જાણ થશે. જો જરૂર પડશે તો ફરી સરકાર સાથે બેઠક કરીશું.
યુવરાજસિંહ જાડેજાનું નિવેદન
યુવા આંદોલનકારી યુવરાજસિંહ જાડેજાએ બેઠક બાદ નિવેદન આપ્યું હતું કે, વિદ્યાર્થીઓ આશા રાખીને બેઠા છે અને સરકારી પરિક્ષાના પરિણામ અને નિમણૂક પત્રો પણ પેન્ડિંગ છે તો સરકાર ઝડપથી પરિક્ષાની નવી તારીખો જાહેર કરે.