જો આપ ટ્રેન દ્વારા મુસાફરી કરો છો તો આ માહિતી તમારા માટે મહત્વપૂર્ણ છે કારણ કે રેલવે રિઝર્વેશનમાં ઘણાં લોકોને છૂટ મળે છે. ટ્રેનથી સફર કરવામાં ફક્ત વ્રુદ્ધ અને દિવ્યાંગને જ ટિકિટમાં છૂટ મળે છે તેમ નથી. પણ આ કેટેગરીમાં બેરોજગાર યુવાનો પણ શામેલ કરવામાં આવે છે. જી હાં ભારતીય રેલવે આ લોકોને સસ્તામાં સફર કરાવે છે. બેરોજગાર યુવાઓની ટિકિટ પર 50-100% સુધી ડિસ્કાઉન્ટ મળશે. આવો આપને જણાવીએ કે ભારતીય રેલવેમાં આ લોકોને કોઇ ઉદ્દેશ્ય હેઠળ તો કોઇ ક્લાસમાં સફર માટે સસ્તામાં સારી ટિકિટ મળી શકશે.
બેરોજગાર યુવાન
- સંવિધિક નિકાસ (સ્ટેચ્યુટોરી બોડી) મ્યુનિસિપલ કોર્પોરેશન ગવર્નમેન્ટ અંડર ટેકિંગ યૂનિવર્સિટી કે પબ્લિક સેક્ટર બોડીની નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા માટે જે બેરોજગાર યુવાઓને રેલવે તરફથી 50% છૂટ મળે છે. આ છૂટ સેકેન્ડ ક્લાસ અને સ્લીપર ક્લાસમાં સફ કરી શકો છો.
- કેન્દ્ર સરાકર રાજ્યની નોકરીઓ માટે ઇન્ટરવ્યુ માટે જઇ રહેલાં બેરોજગાર યુવાઓને સ્લીપર ક્લાસની ટિકિટમાં 50 % અને સેકેન્ડ ક્લાસની ટિકિટમાં 100 %ની છૂટ મામલે 100 % છૂટ મળે છે.
આ યુવાઓ માટે 50 ટકા સુધી સ્સતી થશે ટિકિટો:
-નેશનલ યૂથ પ્રોજેકટ્ માટે નેશનલઇંગીટ્રેશ કેમ્પોમાં ભાગ લેવા જઇ રહેલાં યુવાનોને સેકેન્ડ અને સ્લીપર ક્લાસની ટિકિટ પર 50 % સુધીની છૂટ મળે છે.
-માનવ ઉત્થાન સેવા સમિનિતનાં નેશનલ ઇન્ટીગ્રેશન કેમ્પમાં ભાગ લેવા જઇ રહેલાં યુવાઓમાં સેકન્ડ અને સ્લીપર ક્લાસની ટિકિટ પર 40 % છૂટ મળે છે.