અંડરવર્લ્ડ ડોન રવિ પૂજારી સેનેગલ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ ફરાર થઈ ગયો છે. તપાસ એજન્સીઓએ આ વાતની પુષ્ટિ કરી છે. આ વર્ષે 21 જાન્યુઆરીએ સેનેગલમાં ઈન્ડિયન એજન્સીના ઇનપુટ પર રવિ પુજારીની ઘરપકડ કરાઈ હતી. જોકે ફરાર થયા બાદ રવિપૂજારીને પકડવા માટે સેનેગલ પોલીસે એલર્ટ જાહેર કર્યુ છે. પરંતુ હજુ સુધી તેની ભાળ મળી નથી.
ઉલ્લેખનીય છે કે, રવિ પૂજારીને બે દિવસ પહેલા જામીન પર બહાર આવ્યો હતો. ત્યાર બાદ તેની કોઈ માહિતી નથી. જો સેનેગલની સરહદ પાર કરી લે છે તો તેને પકડવો ફરીથી મુશ્કેલ બની જશે. રિપોર્ટ પ્રમાણે સેનેગલ કોર્ટે રવિ પૂજારીને શરતી જામીન આપ્યા હતાં અને તેનો પાસપોર્ટ પણ જપ્ત કર્યો હતો.
ભારતીય એજન્સીઓના ઇનપુટના આધારે જ સેનેગલમાં હાજર ડોન રવિ પૂજારીની ધરપકડ કરાઈ હતી. રવિ પૂજારી આફ્રિકી દેશ સેનેગલમાં રહેતો હતો. તેના પર ભારતીય એજન્સીઓ સતત નજર રાખતી હતી. ઉલ્લેખનીય છે કે રવિ પૂજારી સામે ભારતમાં અનેક કેસ દાખલ છે.
ગત વર્ષે જૂનમાં ગુજરાતના ધારાસભ્યો અને ઉદ્યોગપતિઓને મારી નાંખવાની ધમકી પૂજારીએ આપી હતી. રવિ પૂજારી મુંબઈના ઉદ્યોગપતિઓ અને અભિનેતાઓને ખંડણી માટે અવારનવર પરેશાન કરતો હતો. પરંતુ તેની ભાળ મળી રહી ન હતી.
પહેલા એવી માહિતી હતી કે, ઓસ્ટ્રેલીયામાં બેસીને રવિ પૂજારી આ નેટવર્ક ચલાવતો હતો...રવિ પુજારીનું નામ ગુનાની દુનિયામાં ઘણું જાણીતું છે. ફરીએકવાર હવે તે પોલીસને ચકમો આપવામાં સફળ રહ્યો છે.