યુપી પોલીસે પ્રદેશ બાદ હવે જિલ્લા સ્તરે પણ કાર્યવાહી હાથ ધરતા 800થી વધુ અપરાધિઓના નિર્દેશ કરતું લીસ્ટ તૈયાર કરી તેની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
આદિત્યનાથની ઝીરો ટોલરન્સ સ્ટ્રેટેજી
પોલીસે ગેરકાયદે સંપત્તિ જપ્ત કરી
8,000 થી વધુ કેસ, 668 ધરપકડ
યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યમાં પહેલાથી જ કાયદો અને વ્યવસ્થાને લઈને પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી ચુક્યા છે. યોગી અગાઉ પણ જાણીવી ચુક્યા છે કે રાજ્યમાં ગુનેગારોને કોઈ સ્થાન નથી તેઓ જેલમાં રહે કે પ્રદેશની બહાર રહે, ત્યારે હવે યુપીમાં પોલીસ દ્વારા સખ્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
આદિત્યનાથની ઝીરો ટોલરન્સ સ્ટ્રેટેજી
મહત્વનું છે કે યોગી અગાઉ પણ જાણીવી ચુક્યા છે કે રાજ્યમાં ગુનેગારોને કોઈ સ્થાન નથી તેઓ જેલમાં રહે કે પ્રદેશની બહાર રહે, ત્યારે હવે યુપીમાં પોલીસ દ્વારા સખ્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પોલીસે પ્રદેશ બાદ હવે જિલ્લા સ્તરે પણ કાર્યવાહી હાથ ધરતા 800થી વધુ અપરાધિઓના નિર્દેશ કરતું લીસ્ટ તૈયાર કરી તેની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મુખ્તાર અંસારીથી લઈને અતીક અહમદ સુધી, કાયદો અને વ્યવસ્થા અંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ઝીરો ટોલરન્સ સ્ટ્રેટેજીની અસર જમીન પર પણ દેખાઈ રહી છે.
પોલીસે ગેરકાયદે સંપત્તિ જપ્ત કરી
રાજ્ય પછી, પોલીસે જિલ્લા કક્ષાએ ડોન બનવા માટે 800 ગુનાહિત માફિયાઓની પણ ઓળખ કરી છે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે જેથી જિલ્લાકક્ષાએ પણ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે આમ પોલીસ દ્વારા મિલકતને એટેચમેન્ટમાંથી જપ્ત કરીને પોલીસ બદમાશોની કમર તોડી રહી છે.પોલીસે લગભગ 2.5 અબજ રૂપિયાની ગેરકાયદે સંપત્તિ જપ્ત કરી છે.
8,000 થી વધુ કેસ, 668 ધરપકડ
પોલીસ વિભાગમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, જુલાઇ સુધી જિલ્લા કક્ષાએ 800 જેટલા ગુનાહિત માફિયાઓને ઓળખી કાવામાં આવ્યા છે અને 8 હજારથી વધુ કેસ નોંધીને 668 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.એટલું જ નહીં, પોલીસે એન્કાઉન્ટરમાં ત્રણ ક્રિમિનલ માફિયાઓને પણ માર્યા છે તેમજ 12 આરોપીઓને જોડતી વખતે 25 આરોપીઓ પર NSA લાદવામાં આવ્યો છે અને 567 આરોપીઓ વિરુદ્ધ ગેંગસ્ટર એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
ગુંડા એક્ટ હેઠળ 233 પર કાર્યવાહી
જિલ્લા કક્ષાએ કાયદો અને વ્યવસ્થામાં અડચણરૂપ બનતા 233 ગુનાહિત માફિયાઓ પર પોલીસે ગુંડા કાયદા હેઠળ કાર્યવાહી કરી છે અને 11 હથિયાર પરવાના રદ કરવામાં આવ્યા છે.આ સિવાય 382 આવા ગુનાહિત માફિયાઓની હિસ્ટ્રી શીટ પણ ખોલવામાં આવી છે અને 274 આરોપીઓને પકડીને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.
ગુનેગારો સામે આ કાર્યવાહી ચાલુ રહેશે
આ યાદીમાં મુખ્તાર અન્સારી, અતીક અહેમદ, બ્રિજેશ કુમાર સિંહ ઉર્ફે અરુણ કુમાર સિંહ, ઓમપ્રકાશ ઉર્ફે બબલુ શ્રીવાસ્તવ, મુનીર, ખાન મુબારક, અમિત કસાના, આકાશ જાટ, ઉધમ સિંહ વગેરેનો સમાવેશ થાય છે.એડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમાર કહે છે કે કાયદો અને વ્યવસ્થામાં વધુ સુધારો કરવા માટે માઇક્રો લેવલ પર જ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેથી કાયદાનો ડર દરેકમાં હોય.ગુનેગારો સામે આ કાર્યવાહી અવિરત ચાલુ રહેશે.