ભારત સહિત દુનિયાના તમામ દેશ આ સમયે કોરોના વાયરસ (Coronavirus)ના કહેરનો સામનો કરી રહ્યા છે. આ વાયરસની હજુ સુધીમાં કોઇ સારવાર કે વેક્સિન શોધી શકાઇ નથી. જોકે મલેરિયા અને તાવની કેટલીક દવાઓ છે જે કોરોના વાયરસના સંક્રમણની સારવારમાં કેટલાક હદે કારગર સાબિત થઇ રહી છે. તેથી આ દવાઓની માંગ વધી છે.
ભારત સરકારે વિટામિન બી1 અને બી12 સહિત 24 દવાઓ પરની નિકાસ પરના પ્રતિબંધોમાં છૂટ આપી
પેરાસિટામૉલ અને તેનાથી બનેલી અન્ય દવાઓ પર નિકાસ પ્રતિબંધ પહેલાની જેમ જારી રહેશે
ભારત સરકારે સોમવારે વિટામિન બી1 અને બી12 સહિત 24 દવાઓ પરની નિકાસ પરના પ્રતિબંધોમાં છૂટ આપી છે એટલે કે હવે આ દવાઓની નિકાસ થઇ શકશે. જોકે, પેરાસિટામૉલ અને તેનાથી બનેલી અન્ય દવાઓ પર નિકાસ પ્રતિબંધ પહેલાની જેમ જારી રહેશે.
વિદેશી વ્યાપાર મહાનિર્દેશક (DGFT) એ ત્રણ માર્ચે 24 દવા સામગ્રીઓ (API) અને તેની સાથેની સંયોજન દવાઓની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો હતો. જે હેઠળ નિકાસકારને નિકાસ માટે ડીજીએફટીથી લાઇસન્સ અથવા મંજૂરી લેવી પડે છે. કેટલીક ફાર્મા કંપનીઓ દ્વારા આ પ્રતિબંધોને લઇને ચિંતા દર્શાવાઇ હતી, ત્યારે હવે 24 એપીઆઇ અને તેની સંયોજન દવાઓની નિકાસ સરળ બની ગઇ છે.
નોંધનીય છે કે આ દવાઓનું ઉત્પાદન ઘણી હદ સુધી ચીનથી આવનારા કાચા માલ પર નિર્ભર હતું. કોરોનાને કારણે ચીનમાં ફેક્ટરીઓ બંધ થઇ ગઇ હતી. એવામાં તેમની નિકાસ પર રોક લગાવી દેવાઇ હતી. જેથી દેશમાં તેની અછત ન સર્જાય.
The government of India lifts restrictions on 24 active pharmaceutical ingredients (API) and formulations made from them. These APIs are now allowed to be exported. pic.twitter.com/FBYxT4jw0y
જે દવાઓની નિકાસ પરથી પ્રતિબંધ હટાવી દેવાયો છે. તેમા ટિનિડાજોલ, મેટ્રાનિડાજોલ, એસિક્લોવિર, વિટામિન બી1, વિટામિન બી12, ક્લોરમફેનિકૉલ સામેલ છે. જોકે, અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે પીએમ મોદીને ફોન કરીને કોરોના વાયરસની સારવારમાં ઉપયોગી મલેરિયાની જે દવા ક્લોરોક્વિનની નિકાસની અપીલ કરી હતી, હજુ તેના પર કોઇ નિર્ણય લેવાયો નથી.
હજુ સુધી એ સ્પષ્ટ નથી થઇ શક્યું કે સરકારે આ દવાઓ પરથી નિકાસ પ્રતિબંધ અચાનકથી કેમ હટાવ્યો. સૂત્રોનું કહેવું છે કે અમેરિકાના દબાવમાં આવીને ભારતને આ પગલુ ઉઠાવવું પડ્યું છે. અમેરિકાના રાષ્ટ્ર્પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઘણીવાર પીએમ મોદીને અપીલ કરી હતી. ટ્ર્મ્પે ભારતને મલેરિયાના ઇલાજ માટે હાઇડ્રોક્સીક્લોરોક્વિન દવાઓ પણ માંગી છે. જોકે, હજુ સુધી ભારતે એ નક્કી કર્યું નથી કે મલેરિયાની દવાઓ પરનો પ્રતિબંધ હટાવવામાં આવે કે નહીં.
શા માટે પેરાસિટામૉલ પર પ્રતિબંધ મુકાયો ?
પેરાસિટામૉલ એક સાધારણ પેન રિલિવર છે તેથી તેનું ફોર્મુલેશન દવાઓની એ લિસ્ટમાં સામેલ નથી, જેના પરથી સરકારે નિકાસ પ્રતિબંધ હટાવ્યા છે.