બિહારના ભાગલપુર અને સુલ્તાનગંજને જોડતો નિર્માણાધીન પુલનો એક ભાગ જમીનદોસ્ત થઈ ગયો હતો. આ પુલ ધરાશાયી થતાં જાનમાલનું તો નુકસાન નથી થયું પણ કરોડ રૂપિયાનું નુકસાન ચોક્કસથી થયું છે.
બિહારમાંથી વિચિત્ર ઘટના સામે આવી
નિર્માણાધીન પુલ જમીનદોસ્ત થયો
સરકારના કરોડો રૂપિયાનું થયું આંધણ
બિહારના ભાગલપુર અને સુલ્તાનગંજને જોડતો નિર્માણાધીન પુલનો એક ભાગ જમીનદોસ્ત થઈ ગયો હતો. આ પુલ ધરાશાયી થતાં જાનમાલનું તો નુકસાન નથી થયું પણ કરોડ રૂપિયાનું નુકસાન ચોક્કસથી થયું છે. પુલ પડી જવાથી સરકારના અધિકારીઓ બચાવ કરવા મથામણ કરી રહ્યા છે. સુલ્તાનગંજથી JDUના ધારાસભ્ય લલિત નારાયણ મંડલ પણ ઘટના સ્થળે પહોચ્યા હતા. અહીં આવીને તેમણે કહ્યું હતું કે, મુખ્યમંત્રીને આ ઘટના અંગે વાત કરવામાં આવી છે. આ ઘટનાની ઉચ્ચ સ્તરિય તપાસ કરાવામાં આવશે. દોષિતોને છોડવામાં નહીં આવે, તેમનું માનવું છે કે, ગુણવત્તાયુક્ત કામ કર્યું નથી.
Bihar | Portion of under-construction bridge collapses due to thunderstorm in Sultanganj in Bhagalpur dist last night
We've informed the CM & investigation will be initiated. It seems degraded quality of material was used for construction: Sultanganj JDU MLA Lalit Narayan Mandal pic.twitter.com/B1vKvINNBU
પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, ગંગા નદી પર બની રહેલા આ પુલના પિલર નંબર 4થી પિલર નંબર 6ને કનેક્ટ કરવીને બનાવામાં આવેલો ભાગ જમીનદોસ્ત થઈ ગયો હતો. પુલનો એક ભાગ નીચે પડી ગયો હોવાની જાણ થતાં આજૂબાજૂના ગામના લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા.
અધિકારીઓ દોડી આવ્યા
આ ઘટનાની જાણ થતાં સ્થાનિક ધારાસભ્ય પ્રોફેસર લલિત નારાયણ મંડળ, અધિકારી શંભુ શરણ રાય, મનોજ કુમાર રાય, પોલીસ અધિકારી વિનોદ કુમાર સાથે તપાસ ટીમ લઈને પહોંચ્યા હતા. આ ઘટનાની નિંદા કરતા ધારાસભ્યએ નીતિશ કુમારને ફોન લગાવીને રજૂઆત કરી હતી. સાથે આ ઘટનાની તપાસ માટે ઉચ્ચ સ્તરિય તપાસના આદેશની પણ માગ કરી છે.