શહેરના બાપુનગર વિસ્તારમાં રહેતા એક વેપારીએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. વેપારીએ ઘરેથી નીકળી ગયા બાદ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બાપુનગર પોલીસે રર વ્યાજખોરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે
વ્યાજખોરોએ વાહનો પણ પડાવી લીધાં, બાપુનગરના વેપારીએ ઝેરી ગોળીઓ ખાધી
મૂડી-વ્યાજ અને પેનલ્ટી ચૂકવી દીધા પછી પણ વ્યાજખોરોએ ઉઘરાણી ચાલુ રાખવાનો આક્ષેપ
૨૨ સામે પોલીસે ગુનો દાખલ કર્યોઃ ગેરકાયદે તગડું વ્યાજ વસૂલતા વ્યાજખોરો બેફામ
બાપુનગર વિસ્તારમાં આવેલ અવની એપાર્ટમેન્ટમાં રહેતા ર૮ વર્ષીય અજયભાઇ સગરે બાપુનગર પોલીસ સ્ટેશનમાં રર વ્યાજખોરો વિરુદ્ધમાં ફરિયાદ કરી છે. ફરિયાદમાં કરાયેલા આક્ષેપ પ્રમાણે અજયભાઇ જીવણવાડી શ્રેયાંસપાર્ક સોસાયટી પાસે શ્રીજી સિઝનેબલ સ્ટોર દ્વારા ફ્રૂટનો ધંધો કરે છે. આજથી છ વર્ષ પહેલાં અજયભાઈને ધંધા માટે પૈસાની જરૂર હોવાથી તેમણે તેમની દુકાનની બાજુમાં કરિયાણાની દુકાન ધરાવતા પ્રવીણભાઈ પાસેથી પાંચ લાખ રૂપિયા ચાર ટકા વ્યાજે લીધા હતા, જેનું આજ સુધી નિયમિત વ્યાજ આપ્યું છે તેમ છતાં પ્રવીણભાઈ વધુ વ્યાજના પૈસાની માગણી કરતા હતા અને મારવાની ધમકી પણ આપતા હતા.
એક પછી એક 20 વ્યાજખોરાના વિષચક્રમાં ફસાયા બાદ ભર્યુ અંતિમ પગલુ
અજયભાઇ તેમના મિત્ર વિજયભાઈ લુહારને છેલ્લા વીસ વર્ષથી ઓળખે છે. ત્રણ વર્ષ પહેલાં વિજયભાઈ તેમના એક મિત્ર ધવલભાઈને લઈ અજયભાઈની દુકાને આવ્યા હતા અને અજયભાઇ સાથે ઓળખણ કરાવી હતી. ત્યારબાદ પ્રવીણભાઈએ કહ્યું હતું કે ધવલને પૈસાની જરૂર છે, જો તારે બજારમાં ઓળખાણ હોય તો પચાસ હજાર વ્યાજે લઇ આપવાની અજયભાઈને વાત કરી હતી, જેથી અજયભાઈ કૃષ્ણનગર ખાતે જય માતાજી મિત્ર મંડળ, ખુમાનસિંહ, પ્રવીણભાઈ, વીરુભાઈ ફાઇનાન્સની ઓફિસથી વ્યાજે રૂપિયા આપતા હતા. તેમની પાસેથી ધવલભાઈને પચાસ હજાર રૂપિયા દસ ટકા વ્યાજે અપાવ્યા હતા અને અજયભાઇ જામીન તરીકે વચ્ચે રહ્યા હતા. તે પછી ધવલભાઈએ પચાસ હજાર રૂપિયા બારોબાર ફાઇનાન્સરોને ચૂકવી દીધા હતા.
સિલસિલો ચાલુ જ રહ્યો
ત્યારબાદ ધવલભાઈએ બીજા પાંચ લાખ રૂપિયા અજયભાઈના જામીન પર બારોબાર લીધા હતા, જે ધવલભાઈએ ન ભરતાં ખુમાનસિંહ તથા પ્રવીણભાઈ, વીરુભાઇ અજયભાઇ પાસે આવીને વ્યાજના પૈસાની ઉઘરાણી કરવા લાગ્યા હતા.
એક વ્યાજ ખોરથી બચવા બીજાનો સહારો
વ્યાજના વિષચક્રમાં ફસાયેલા અજયભાઈએ અન્ય લોકો પાસેથી પણ ઊંચા વ્યાજે રૂપિયા લેવાનું શરૂ કર્યું હતું. એક વ્યાજખોરનો હપ્તો પૂરો કરવા માટે બીજા વ્યાજખોર પાસેથી વ્યાજે રૂપિયા લેતા હતા. આમ કરતાં કરતાં રર વ્યાજખોરોનું દસ ટકાથી ૩૦ વ્યાજ ભરતા થઈ ગયા હતા. સમયસર વ્યાજ નહીં ભરી શકતાં વ્યાજખોરો તેમને મારી નાખવાની ધમકી આપતા હતા અને અજયભાઇ પાસે રહેલ કાર તેમજ બુલેટ પણ વ્યાજખોરોએ પડાવી લીધાં હતાં.
વ્યાજ વધુ ચાલ્યુ અને દેવુ પણ
અજયભાઈએ પાંચ વર્ષ અગાઉ ફાઇનાન્સરો પાસેથી વ્યાજે લીધેલી રકમ કરતાં વધારે વ્યાજ તથા પેનલ્ટી વસૂલ કરીને અજયભાઇને પાયમાલ કરી દીધા હતા. તેમ છતાં જાનથી મારી નાખવાની ધમકી આપી દુકાન પર આવીને બીભત્સ ગાળો બોલીને વ્યાજખોરો તેમને માનસિક ત્રાસ આપતા હતા, જેનાથી કંટાળીને અજયભાઇએ ઘરેથી નીકળી રસ્તામાં અનાજમાં નાખવાની દવા પી લઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
22 વ્યાજખોરો સામે પોલીસે લીધા પગલા
અજયભાઈને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલમાં તેમની તબિયત સારી હોવાથી બાપુનગર પોલીસ સ્ટેશનમાં ઊંચું વ્યાજ વસૂલતા પ્રવીણભાઈ દાનવે, ખુમાનસિંહ, પ્રવીણ મામુ, નરેન્દ્રભાઈ પટેલ, સુનીલભાઈ તડિવયા, મનહરસિંહ જાડેજા, અરવિંદસિંહ ચાવડા, પૃથ્વીરાજસિંહ ઝાલા, મુન્નાભાઈ સિંધી, રાજુભાઈ અરજણભાઇ મોરી, રમેશભાઈ બાપુ, કિશોરભાઈ સતાિસયા, મનુભાઈ કાકડિયા, હારુનભાઇ રાજકોટવાળા, સુનીલભાઈ દેવકૃપા, અમિતભાઇ, રાકેશભાઈ, વીજુભાઈ, સોનુભાઈ અને વિજયભાઈ, રાજુભાઈ તથા કનુભાઈ પપૈયાવાળા વિરુદ્ધમાં ફરિયાદ કરી હતી. પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.