ઉના વિધાનસભા બેઠકના ભાજપના ધારસભ્ય કે સી રાઠોડે પોતાની હત્યાની આશંકા વ્યક્ત કરતા ખળભળાટ મચ્યો છે, સમૂહલગ્નમાં જાહેર ભાષણમાં કે સી રાઠોડેએ હત્યાની આશંકા વ્યક્ત કરી.
ભાજપના ધારાસભ્યને પોતાની હત્યાનો ભય
કે.સી.રાઠોડે પોતાની હત્યાની આશંકા વ્યક્ત કરી
ભૂ-માફિયાઓથી હત્યાની આશંકા વ્યક્ત કરી
ગીર સોમનાથ જિલ્લાના ઉના વિધાનસભા બેઠક પર 40 હજારથી પણ વધુ મતોથી જીત મેળવનાર ભાજપના ધારસભ્ય અને ઉનાના દિગગજ નેતા કાળુભાઇ રાઠોડે પોતાની હત્યાની આશંકા વ્યક્ત કરતા ખળભળાટ મચ્યું છે. ઉનામાં યોજાયેલ સમૂહ લગ્નોત્સવના જાહેર ભાષણ દરમિયાન કે સી રાઠોડે પોતાની હત્યાનું કાવતરું રચાતુ હોવાનું અને સોંપારી અપાયાની આશંકા વ્યક્ત કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
ભૂમાફિયા અને બુટલેગરો પર આશંકા જતાવી
આ સમગ્ર મામલે ઉના ભાજપના ધારસભ્ય કે સી રાઠોડે જણાવ્યું છે કે, તેમની હત્યાનું ષંડયંત્ર લાંબા સમયથી રચાતું હોવાની અને હત્યાની સોંપારી અપાઈ હોવાની આશંકા છે. કે સી રાઠોડે પોતાની હત્યાની સાજિસ રચનારનું નામ ન જાહેર કરતા કહ્યું છે કે, તે ભૂમાફિયા અને બુટલેગર પર આશંકા છે, તેમણે કહ્યું કે, ભૂમાફિયાની પાછળ રાજકીય હાથ હોંય જ હોય છે અને રાજકીય હિત માટે પણ આ કૃત્ય થઈ રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે. તેમણે કહ્યું કે, અગાઉ પણ મારા પર ફાયરિંગ થયું હતું અને જે બાબતે ફરિયાદ પણ દાખલ થઈ હતી અને તપાસ પણ થઈ હતી અને જે બાબતે સમાધાન પણ થઈ ગયું છે
"મારી હત્યા માટે રાજ્ય બહાર પણ આ સોંપારી અપાઈ હોઈ શકે"
કે સી રાઠોડે વધુમાં જણાવ્યું કે, આ સમગ્ર મામલે મેં પોલીસને જાણ કરી છે. મને પોલીસે 2 એસઆરપી જવાન પણ ગાર્ડ તરીકે આપ્યા છે છતાં મને એવું લાગે છે કે મારી હત્યાની સાજિસ થઈ રહી છે. ભૂતકાળમાં પણ મારા પર ગાર્ડ હોવા છતાં હુમલા થઈ ચૂક્યા છે. જો કે, ગીર સોનનાથ એસપી અને પોલીસ મને પુરતો સ્પોર્ટ કરી રહ્યાં છે. તેમણે વધુમાં કહ્યું કે, મારી હત્યા માટે રાજ્ય બહાર પણ આ સોંપારી અપાઈ હોઈ શકે.