ગીર સોમનાથનાં ઉના ખાતે પરિણીતાએ બે દિવસ પહેલા ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કર્યાનો મામલો ગરમાયો. મૃતકના પિતા દ્વારા ઉના પોલીસમાં ફરિયાદ કરવા છતાં આરોપીને પકડતી ન ગુજરાતી ફિલ્મ અને સાહિત્યમાં દીકરીઓ દુ:ખી હોય છે, આવું કેટલાક લોકો કહેતા હોય છે પરંતુ એવું નથી. રિયલ જિંદગીમાં દીકરીઓની સ્થિતિ બહુ સારી નથી. આજે પણ સમાજમાં દીકરીઓ દુ:ખી છે.
ઉનાની પરિણીતાએ બે દિવસ પહેલા ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત
પરિવાર ન્યાયની ગુહાર લગાવીને પોલીસ સ્ટેશન બહાર બેઠો
પરિવારના તમામ સભ્યો સામે નોંધાઇ પોલીસ ફરિયાદ
ઉના પોલીસ સ્ટેશનની બહાર એક પરિવાર ન્યાયની ગુહાર લગાવીને બેઠો છે. પોલીસની હાજરી છે અને પરિવાર પોલીસનો હુડીયો બોલાવી રહ્યો છે. મૃતક પુષ્પાબહેન પરિવારની લાડકી દીકરી હતી, પપ્પાની પ્યારી હતી પરંતુ ગોજારા સાસરીયાએ એક નિર્દોષનો જીવ લઈ લીધો અને તેને મોત માટે મજબૂર કરી છે.
બે દિવસ પહેલા પુષ્પાબહેનને ગળે ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી
ઉલ્લેખનીય છે કે, પુષ્પાબહેનના લગ્ન સાત વર્ષ પહેલા થયા હતા અને તેના ઘર સંસારમાં એક દીકરો પણ છે. પરંતુ સંસારમાં શાંતિ નથી, પતિ માથામારે છે, સાસુ સીઆઈડી જેવી છે અને નણંદબા વટ જમાવે છે. બસ આવા ત્રાસને કારણે બે દિવસ પહેલા પુષ્પાબહેનને ગળે ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી નાખી. અગાઉ પુષ્પાબહેનને તેના પિતાને તેના સંસારની સમસ્યા જણાવી હતી. પરંતુ સમાધાન કરીને દીકરીને સાસરે પાછી મોકલી આપી હતી. બે દિવસ પહેલા પુષ્પાબહેનને શું થયું હોય. અચાનક આપઘાત કરી જિંદગી ટૂંકાવી નાંખી અને એક માસૂમ દીકરો અનાથ બની ગયો.
મૃતકના પરિવારે પાંચ લોકો સામે ફરિયાદ દાખલ કરી
મૃતકના પરિવારે પાંચ લોકો સામે ફરિયાદ દાખલ કરી છે. આરોપી સામે 306,498A,505,114 મુજબ ગુનો નોંધાયો છે જે પાંચ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તેની વાત કરીએ તો ફરિયાદી એવું કહે છે. આ ખૂની ખાનદાન છે. અમારી દીકરીને મોત માટે મજબૂર કરી છે. પરિવારની વાતમાં દર્દ છે અને દીકરીના મોતને કારણે દુ:ખ પણ છે.
ઉનાની ભરબજારમાં પોલીસ હાય હાયના નારા લાગ્યા
ઉનાની ભરબજારમાં જે પોલીસ હાય હાયના નારા લાગ્યા તેની પાછળ પોલીસ જવાબદાર છે. પોલીસે ગુનો નોંધ્યો છે.પરંતુ આરોપીની ધરપકડ કરી નથી ..તેના કારણે મૃતકના પરિવારમાંભારે રોષ છે. મૃતક મહિલાનો પતિ હરેશ ચાવડા પોલીસ ખાતામાં નોકરી કરે છે. આ માટે પોલીસ ખાતું આરોપીની ધરપકડ ઢીલી નીતી રાખી રહી છે ..મૃતકનો પરિવારને પોલીસને ઘેરો કર્યો હતો અને ન્યાયની માગ કરી છે.
આરોપી હરેશ અને તેના પિતા કરશનભાઈ બન્ને ઉના પોલીસ સ્ટેશનમાં નોકરી કરે છે
આરોપી હરેશ અને તેના પિતા કરશનભાઈ બન્ને ઉના પોલીસ સ્ટેશનમાં નોકરી કરે છે. આ માટે ઉના પોલીસને આરોપી પ્રેમ ઉભરાઈ આવ્યો છે. આવ હરખા અને આપણે બન્ને સરખા જેવી નિતી આપનાવી રહ્યાં છે. પરંતુ ઉના પોલીસને ખબર નથી કે આરોપીનો બચાવ કરીને તેને કશુ મળવાનુ નથી સિવાય કે બદનામી. ગઈકાલે વાળા પરિવારનો રોષ જોઈને પોલીસ ઢીલી પડી ગઈ હતી. ન્યાય મળશે તેવા વચનો પણ આપ્યા હતા.
ક્યારે બંધ થશે આવી ઘટના ?
ચાવડા પરિવાર પર દાગ લાગ્યો છે. હજુ પોલીસે આરોપીની ધરપકડ કરી નથી. મૃતકના પરિવારે પહેલા પણ પોલીસને જાણ કરી હતી. પરંતુ પોલીસની ઢીલી નીતીને કારણે એક નિર્દોષ દીકરીએ જીવ આપી દીધો છે. ઉના પોલીસે એક વાત સમજી લેવાની જરૂર છે. આરોપી ભલે પોલીસ ખાતામાં નોકરી કરતા હોય છે..પરંતુ આજે નહી તો કાલે તેને ઝડપી લેવા પડશે. નહીંતર ઉનાની ભર બજાર પોલીસ બદનામ થશે. આમ પણ ઉના પોલીસનો ઈતિહાસ કલંકૃત છે અને તેની મથરાવટી વર્ષોથી ગંદી છે.