હાલના સમયમાં આખી દુનિયા આધુનિકતાની આંધીમાં દોટ મુકી રહી છે. તેના ફળસ્વરૂપ દુનિયાભરમાં ઝડપથી પ્લાસ્ટિકનો ઉપયોગ વધી રહ્યો છે અને ધરતી પર રહેતી અમુક ખાસ પ્રજાતિઓના અંતનું પણ કારણ આ જ પ્લાસ્ટિક બની રહ્યું છે. હાલમાં પ્લાસ્ટિકનો દુનિયાભરમાં અંધાધૂંધ ઉપયોગ થઈ રહ્યો છે. તેના કારણે દરરોજ હજારો ટન પ્લાસ્ટિકનો કચરો નિકળી રહ્યો છે.
ત્યારે આવા સમયે સંયુક્ત રાષ્ટ્ર સંઘે પ્લાસ્ટિકને લઈને ચિંતા વ્યક્ત કરી છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘે ચેતવણી આપી છે કે, 2050 સુધીામં માછલીઓથી વધારે દરિયામાં પ્લાસ્ટિકની સંખ્યા થઈ જશે. હકીકતમાં જોઈએ તો, દુુનિયાભરમાં નિકળતા પ્લાસ્ટિકનો કચરો વ્યવસ્થિત રીતે રિસાઈકલ થઈ શકતો નથી. ત્યારે આવા સમયે મોટા ભાગની જગ્યા પર પ્લાસ્ટિક કચરો દરિયામાં જવાના કારણએ દરિયામાં પ્રદૂષણનું લેવલ ખૂબ જ વધી ગયું છે.
By 2050, there could be more plastic than fish in the ocean.
દરિયામાં પ્રદૂષણ વધવાના કારણએ દર વર્ષે સમુદ્રમાં જીવતા જીવોની સંખ્યા ઝડપથી ઘટી રહી છે. આજ કારણ છે કે, સંયુક્ત રાષ્ટ્ર સંઘે પ્લાસ્ટિનો ઉપયોગ ઓછો કરવા અને સમુદ્રમાં પ્લાસ્ટિકના કચરાના કારણે થતાં પ્રદૂષણથી સચેત રહેવાની ચેતવણી આપી છે કે, 2050 સુધીમાં દરિયામાં માછલીઓથી વધારે પ્લાસ્ટિક મળશે.
આ જ કારણ છે કે, 27 જૂન 2022થી લઈને 1 જૂલાઈ 2022 સુધી કેન્યા અને પોર્ટુગલની સરકારો તરફથી સંયુક્ત રાષ્ટ્ર મહાસાગાર સંમેલનનું આયોજન કર્યુ હતું. જેમાં દરિયામાં વધી રહેલા પ્રદૂષણને ઘટાડવા માટે ભાર આપવામાં આવ્યો હતો. કહેવાય છે કે, આ વર્ષે યુરોપિય સંઘ અને સંયુક્ત રાષ્ટ્રની વચ્ચે એક સહયોગ દ્વારા સંયુક્ત રાષ્ટ્ર મહાસાગર સંમેલનની શરૂઆત કરવામાં આવશે.
આપને જણાવી દઈએ કે, દર વર્ષે 30 કરોડ ટનથી વધારે પ્લાસ્ટિકનું પ્રોડક્શન થાય છે. જેમાં દર વર્ષએ 1 કરોડ ટન પ્લાસ્ટિક કચરો દરિયામાં છોડવામા આવે છે. તો વળી સમુદ્ર જીવ આ માઈક્રોપ્લાસ્ટિકને પોતાનું ભોજન સમજીને ખાઈ લે છે. જેના કારણે દર વર્ષે 10 કરોડ સમુદ્રી જીવના મોત થઈ રહ્યા છે.