યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP)ના નવા અધ્યયનમાં બહાર આવ્યું છે કે કોવિડ 19 મહામારીના ગંભીર લાંબા ગાળાના પરિણામોને લીધે 2030 સુધીમાં 20 કરોડ 70 કરોડ અત્યંત તીવ્ર ગરીબીમાં મુકાઈ શકે છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે જો આવું થાય તો વિશ્વભરમાં અત્યંત ગરીબીમાં જીવતા લોકોની સંખ્યા એક અબજને વટાવી જશે.
અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે જો આવું થાય તો વિશ્વભરમાં અત્યંત ગરીબીમાં જીવતા લોકોની સંખ્યા એક અબજને વટાવી જશે. અધ્યયનમાં દુનિયાના કોવિડ 19થી બહાર આવવાની વિવિધ શક્યતાઓમાં રોગચાળાને લીધે આવતા દાયકામાં આવનારી વિવિધ અસરોને લીધે સતત વિકાસ લક્ષ્યો (એસડીજી) પરની અસરનું મૂલ્યાંકન કરાયું છે.
આ અભ્યાસ UNDP અને ડેનવર યુનિવર્સિટીના પારડી સેન્ટર ફોર ઇન્ટરનેશનલ ફ્યુચર્સ વચ્ચે લાંબા સમયથી ચાલતી ભાગીદારીનો એક ભાગ છે. અભ્યાસ અનુસાર, "કોવિડ 19 મહામારીના ગંભીર લાંબા ગાળાના પરિણામો સાથે 2030 સુધીમાં વધુ 20 કરોડ લોકો અત્યંત ગરીબીમાં આવી શકે છે. જો આવું થાય, તો વિશ્વભરના અત્યંત ગરીબ લોકોની સંખ્યા એક અબજને વટાવી જશે."
આ સમયે નેતાઓ જે પસંદગી કરશે તે વિશ્વને જુદી જુદી દિશામાં લઈ શકે છે
UNDPના વહીવટકર્તા અચિમ સ્ટેઇનરે કહ્યું કે નવું ગરીબી સંશોધન દર્શાવે છે કે આ સમયે નેતાઓ જે પસંદગી કરશે તે વિશ્વને જુદી જુદી દિશામાં લઈ શકે છે.
UNDPના આ આંકડા ત્યારે આવ્યા છે જ્યારે વિશ્વમાં કોરોનાનું જોખમ અટકતું નથી લાગતું. હજી સુધી કોરોના દર્દીઓનો આંકડો 6.64 કરોડને પાર કરી ગયો છે. તેમાંથી 4 કરોડ 60 લાખથી વધુ લોકો સાજા થયા છે. અત્યાર સુધીમાં 15 લાખ 27 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. અત્યાર સુધીમાં કોરોનાના સૌથી વધુ અસરગ્રસ્ત અમેરિકામાં કોરોનાનાં 1.45 કરોડ કેસ જોવા મળ્યાં છે, જ્યારે 2.81 લાખ લોકોનાં મોત નીપજ્યાં છે. બીજી બાજુ, મહામારીથી ભારત બીજો સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. અહીં કોરોનાના 96 લાખ કેસ છે, જ્યારે 1.39 લાખ લોકોના મોત થયા છે.