અફઘાનિસ્તાનમાં આતંકવાદને લઇને સંયુક્ત રાષ્ટ્ર (UN) ના રિપોર્ટમાં પાકિસ્તાનનું નામ આવવા પર ભારતે નિશાન તાક્યું છે. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું છે કે આ રિપોર્ટ આવવાથી પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાનના એ કબૂલાત પર મહોર લગાવી દીધી છે જેમાં ઇમરાન ખાને કહ્યું હતું કે તેમના દેશમાં 30 થી 40 હજાર આતંકીઓ ઉપસ્થિત છે.
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે હવે દુનિયા વાસ્તિવિકતા જાણી ગઇ છે કે પાકિસ્તાન આતંકવાદનો ગઢ છે. પાકિસ્તાની નેતૃત્વ જાતે માની ચૂક્યું છે કે હજારો આતંકીઓ તેમની જમીનનો ઉપયોગ બીજા દેશમાં આતંકી ગતિવિધિઓ માટે કરી રહ્યાં છે.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના હાલમાં આવેલા રિપોર્ટમાં જણાવામાં આવ્યું છે કે પાકિસ્તાની આતંકી સંગઠન મોટી સંખ્યામાં આતંકીઓને અફઘાનિસ્તાન મોકલી રહ્યું છે. આતંકી સંગઠન જૈશ-એ-મહોમ્મદ અને લશ્કર-એ-તોઇબા સાથે જોડાયેલા પાકિસ્તાનના મૂળના સાડા છ હજારથી વધારે અફઘાનિસ્તાનમાં સક્રિય છે.
શું છે સંયુક્ત રાષ્ટ્રનો રિપોર્ટ
સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટ અનુસાર પાકિસ્તાનમાં ઉપસ્થિત સંગઠન જૈશ-એ-મહોમ્મદ અને લશ્કર-એ-તૈયબા વિસ્ફોટક બનાવામાં સક્ષમ અને પ્રશિક્ષિત લડવૈયાઓ અફઘાનિસ્તાન મોકલી રહ્યાં છે. જેથી ત્યાં ચાલી રહેલી શાંતિ પ્રક્રિયામાં વિક્ષેપ પાડી શકે છે.
રિપોર્ટમાં ખોલી પાકિસ્તાનની પોલ
ભારતીય વિદેશ મંત્રાલયે સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટને લઇને કહ્યું છે કે આ ભારતના એ દાવાને પુષ્ટી કરી છે કે પાકિસ્તાન વૈશ્વિક આતંકવાદનો ગઢ છે. મંત્રાલયે કહ્યું કે આતંકવાદી અને આતંકી સંગઠન પાકિસ્તાનમાં સુરક્ષિત જગ્યાઓ પર છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે આ રિપોર્ટથી ભારત તરફથી છેલ્લા ઘણા લાંબા સમયથી કરવામાં આવેલા દાવાને બળ મળ્યું છે કે પાકિસ્તાન વૈશ્વિક આતંકવાદનું કેન્દ્ર રહ્યું છે.