સંયુક્ત રાષ્ટ્ર સંઘે ગુરુવારે જણાવ્યું કે ભારત ની આર્થિક વૃદ્ધિ દર ચાલુ નાણાંકીય વર્ષમાં 5.7 ટકા રહેવાનું અનુમાન છે. આ વિશ્વની સંસ્થાઓના પૂર્વના અનુમાન કરતા ઓછું છે. સંયુક્ત રાષ્ટ્રના એક અધ્યયનમાં જણાવામાં આવ્યું છે કે કેટલાક અન્ય ઉભરી રહેલા દેશના જીડીપીનો વૃદ્ધિ દર વધી શકે છે.
UN એ ઘટાડ્યો ભારતનો આર્થિક વિકાસ દર
ભારતનો 5.7 ટકા રહી શકે છે વિકાસ દર
કેટલાક ઉભરતા દેશના જીડીપીના વૃદ્ધિમાં તેજીનું અનુમાન
ગત વર્ષે વૈશ્વિક વૃદ્ધિ દર સૌથી ઓછો 2.3 ટકા રહ્યા બાદ સંયુક્ત રાષ્ટ્રએ આ વાત કહી છે. સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ આર્થિક સ્થિતિ અને સંભાવના (WESP), 2020ના અનુસાર 2020માં 2.5 ટકા વૃદ્ધિની સંભાવના છે પરંતુ વેપારમાં તણાવ, નાણાકીય ફેરફાર અથવા રાજકીય ભૂકંપના તણાવના કારણે ફેરફાર થઇ શકે છે. ભારત અંગેના રિપોર્ટમાં જણાવામાં આવ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષમાં આર્થિક વૃદ્ધિ દર 5.7 ટકા રહી શકે છે.
જો કે WESP 2019માં તેના 7.6 ટકા રહેવાનું અનુમાન કરવામાં આવ્યું છે. જ્યારે આવનારુ નાણાકીય વર્ષમાં આર્થિક વૃદ્ધિ દર 6.6 ટકા રહેવાનું અનુમાન કરવામાં આવ્યું છે, જ્યારે અગાઉ તેમાં 7.4 ટકા રહેવાની વાત જણાવામાં આવી હતી. રિપોર્ટમાં જણાવામાં આવ્યું છે કે ભારતનો જીડીપી વૃદ્ધિ દર ગત વર્ષમાં 6.8 ટકા રહ્યો.