સંયુક્ત રાષ્ટ્ર (UN) પ્રમુખ એન્ટોનિયો ગુટેરેસે ભારત અને પાકિસ્તાન વચ્ચે 1972માં થયેલા શિમલા સમજુતિની યાદ અપાવી. જેમાં કાશ્મીરમાં ત્રીજા પક્ષની મધ્યસ્થતાનો ઇનકાર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે જમ્મૂ-કાશ્મીરમાંથી વિશેષ દરજ્જો હટાવાના ભારતના નિર્ણય બાદ પાકિસ્તાને યુએનને મધ્યસ્થી અંગે પૂછવામાં આવતાં યુએન પ્રમુખનું આ નિવેદન આવ્યું છે.
એન્ટિનિયો ગુટેરેસે કહ્યું કાશ્મીર પર ત્રીજો પક્ષ ન કરી શકે હસ્તક્ષેપ
મહાસચિવે કહ્યું કે કાશ્મીર ભારત અને પાકિસ્તાન વચ્ચે એક દ્વિપક્ષીય મુદ્દો છે
અમેરિકાએ કહ્યું કે કાશ્મીર પર તેમની નીતિમાં કોઇ ફેરફાર આવ્યો નથી
કાશ્મીર પર ત્રીજો પક્ષ નથી કરી શક્તો હસ્તક્ષેપ
ગુટેરેના પ્રવક્તા સ્ટીફન ટુજારિકે એક પત્રકાર પરિષદ સંમેલનમાં જણાવ્યું કે મહાસચિવ જમ્મૂ-કાશ્મીરમાં સ્થિતિ પર ગંભીરતાથી નજર રાખવામાં આવી રહી છે. મહાસચિવે ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સંબંધો પર 1972માં થયેલી સમજૂતિને પણ યાદ કરી, જેને સિમલા સમજૂતીના નામે ઓળખવામાં આવે છે.
મહાસચિવે સિમલા સમજૂતિની યાદ અપાવી
યુએનના મહાસચિવે સિમલા સમજૂતિને યાદ કર્યું જેમાં કહેવામાં આવ્યું કે કાશ્મીર ભારત અને પાકિસ્તાન વચ્ચેનો એક દ્વિપક્ષીય મુદ્દો છે જેમાં ત્રીજા પક્ષની મધ્યસ્થતાની જરૂર નથી. જો કે એક દિવસ પહેલા સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના દૂતે ધારા-370 હટાવવાના ભારતના નિર્ણય બાદ યુએન મહાસચિવ આ મુદ્દે પોતાની ભૂમિકા અદા કરે તેમ કહ્યું હતું.
#WATCH Joanna Wronecka, President of the United Nations Security Council (UNSC) refuses to comment on Pakistan’s letter to UN regarding the abrogation of Article 370 in Jammu & Kashmir. pic.twitter.com/FWDaT4CAi0
મહાસચિવે કાશ્મીર પર ભારત અને પાકિસ્તા વચ્ચે મધ્યસ્થતાની કોઇ રજૂઆત કરી નથી. તેના બદલે તેમણે સિમલા સમજૂતિની યાદ અપાવી.
કાશ્મીર પર નીતિમાં કોઇ ફેરફાર નથી આવ્યોઃ અમેરિકા
જ્યારે બીજી તરફ અમેરિકાએ શુક્રવારે જણાવ્યું હતું કે કાશ્મીર પર તેમની નીતિને લઇને કોઇ ફેરફાર આવ્યો નથી. અમેરિકાએ ભારત અને પાકિસ્તાનને શાંતિ તેમજ ધીરજ રાખવા જણાવ્યું. અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોર્ગન ઓર્ટાગસને જ્યારે પત્રકારોએ પૂછ્યું કે શું અમેરિકાની કાશ્મીર પર નીતિમાં કોઇ ફેરફાર આવ્યો છે. ત્યારે જવાબમાં જણાવ્યું કે કાશ્મીર ભારત અને પાકિસ્તાન વચ્ચેનો એક દ્વિપક્ષીય મુદ્દો છે. જો કાશ્મીરને લઇને નીતિમાં કોઇ ફેરફાર કરવામાં આવશે તો આ અંગે જાહેરાત કરીશ તેમ જણાવ્યું હતું.