સંયુક્ત રાષ્ટ્ર (United Nations)માં ધાર્મિક સ્વતંત્રતાને લઈને ઘણી લાંબી દલીલ ચાલી હતી.અમેરિકાએ ધાર્મિક સ્વતંત્રતા વિશે ચીન અને પાકિસ્તાન પર આકરા પ્રહાર કર્યા હતા. જ્યારે બ્રિટન, કેનેડાએ પણ ધાર્મિક ભેદભાવ વિશે પાકિસ્તાન અને ચીન પર આકરા પ્રહાર કર્યા છે.
સંયુક્ત રાષ્ટ્ર (UN)માં અમેરિકન દૂત સૈમ બ્રાઉનબેકે કહ્યું હતું કે, ''પાકિસ્તાનમાં ધાર્મિક અલપસંખ્યક ભેદભાવપૂર્ણ કાયદા અને પ્રથાઓથી પીડિત છે. આ સાથે જ ચીનમાં ધાર્મિક સ્વતંત્રતા પર અયોગ્ય રીતે વધુ પડતા પ્રતિબંધો લાદવામાં આવી રહ્યા છે. અમે આ અંગે ચિતિંત છીએ.''
#WATCH United States, United Kingdom & Canada, at UN meet on Safety of Religious Minorities, in New York, slam Pakistan & China for discrimination against religious minorities. pic.twitter.com/tuSX5fTLls
અમેરિકન દૂત સૈમ બ્રાઉનબેકે કહ્યું કે, ''અમે ચીન સરકારને તે રાષ્ટ્રમાં દરેકના માનવ અધિકારો અને મૌલિક સ્વચંત્રતાનું સન્માન કરવાનો આગ્રહ કરીએ છીએ.''
Sam Brownback, US Ambassador-at-Large for International Religious Freedom, at UN meet on Safety of Religious Minorities, in New York: We urge the Chinese government to respect the human rights & fundamental freedoms of everyone in that nation. https://t.co/XR8ZmPgiqE
જ્યારે સંયુક્ત રાષ્ટ્ર (UN)ના મહાસવિચ એંટોનિયો ગુટેરેસએ સમગ્ર દુનિયાના દેશોને ધાર્મિક નફરત ખતમ કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે, ''મુસ્લિમ વિરુદ્ધ ધૃણા, ઈસાઈ અને અન્ય ધાર્મિક સમૂહ સાથે ભેદભાવની ભાવના ખતમ કરવી જોઈએ.''
તેમણે કહ્યું કે, ''યહુદીઓની હત્યા કરી દેવામાં આવી રહી હતી. મસ્જિદોમાં પણ મુસ્લિમોની હત્યા કરાઇ રહી છે. તેમના ધાર્મિક સ્થળોને તોડવામાં આવી રહ્યા છે. ઘણી જગ્યાએ ઈસાઈને મારવામાં આવી રહ્યા છે અને સાથે તેમના ચર્ચમાં આગ લગવામાં આવી છે.''
ધાર્મિક નફરત ફેલાવનારનો બહિષ્કાર કરવો જોઈએ:
એન્ટોનિયો ગુટેરેસએ ધાર્મિક આધાર પર હિંસાનો શિકાર થનાર લોકો માટે રાખવામાં આવેલા આંતરરાષ્ટ્રીય દિવસે આ વાત કહી હતી. તેમણે ધર્મ આધારિત હુમલાઓને રોકવા અને જે લોકો તેના જવાબદાર છે તેમને દંડિત કરવાની માગંણી કરી હતી. તેમણે ધાર્મિક ધૃણા ફેલાવનાર લોકોનો બહિષ્કાર કરવાની અપીલ કરી હતી.