સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર હાઇ કમિશનરે સંશોધિત નાગરિકતા કાયદો (CAA) પર સુપ્રીમ કોર્ટમાં હસ્તક્ષેપ અરજી દાખલ કરી છે અને જિનેવામાં ભારતના સ્થાયી દૂતાવાસને તેની જાણકારી આપી છે. વિદેશ મંત્રાલયે મંગળવારે આ અંગે જાણકારી આપી.
સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર પ્રમુખે સુપ્રીમ કોર્ટમા અરજી દાખલ કરી
જિનેવામાં ભારતના સ્થાયી દૂતાવાસને તેની જાણકારી આપી
વિદેશ મંત્રાલયે કહ્યું કે નાગરિકતા કાયદો ભારતનો આંતરિક મામલો છે
વિદેશ મંત્રાલયે કહ્યું કે નાગરિકતા કાયદો ભારતનો આંતરિક મામલો છે અને આ કાયદો બનાવનારી ભારતીય સંસદના સંપ્રભુતાના અધિકારથી સંબંધિત છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું, 'જિનેવામાં અમારા સ્થાયી દૂતાવાસને સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પ્રમુખ (મિશેલ બેશ્લેટ) સૂચિત કર્યું છે કે તેમના કાર્યાલયે સીએએ, 2019ના સંબંધમાં ભારતની સુપ્રીમ કોર્ટમાં હસ્તક્ષેપ અરજી દાખલ કરી છે.'
તેઓએ કહ્યું,' અમારુ સ્પષ્ટ રૂપે માનવું છે કે ભારતની સંપ્રભુતા સાથે જોડાયેલા મુદ્દા પર કોઇ વિદેશી પક્ષનો કોઇ અધિકાર નથી બનતો'. કુમારે કહ્યું કે ભારતનું વલણ સ્પષ્ટ છે અને નાગરિકતા કાયદો બંધારણીય છે અને બંધારણીય મૂલ્યોનું અનુપાલન કરે છે.
તેઓએ કહ્યું, આ ભારતના વિભાજનની ત્રાસદી સામે આવેલા માનવાધિકારોના મુદ્દાઓના સંબંધમાં અમારી તરફથી બહુ જ પહેલા દર્શાવવામાં આવેલી રાષ્ટ્રિય પ્રતિબદ્ધતા દર્શાવે છે.
કુમારે કહ્યું, 'ભારત લોકશાહી દેશ છે અને જે કાયદા પ્રમાણેના શાસનથી ચાલે છે. અમે તમામ અમારી સ્વતંત્ર ન્યાયપાલિકાનું સન્માન કરીએ છીએ અને તેમા પૂર્ણ વિશ્વાસ કરીએ છીએ. અમને પૂર્ણ વિશ્વાસ છે કે અમારી મજબૂત અને કાયદાકીય દ્રષ્ટીની સ્થિતિને સુપ્રીમ કોર્ટમાં જીત મળશે.