આઈપીએલ 2022ના લીગ સ્ટેજની અંતિમ મેચ સનરાઈઝર્સ હૈદ્રાબાદ અને પંજાબ કિંગ્સની વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ. આ મેચમાં પ્રથમ બેટિંગ કરી એસઆરએચે પીબીકેએસની સામે 158 રનનુ લક્ષ્ય રાખ્યું છે.
સનરાઈઝર્સ હૈદ્રાબાદ અને પંજાબ કિંગ્સની વચ્ચે રમાઈ મેચ
ઉમરાન મલિકની બોલિંગ સ્પીડને સમજી ના શક્યા અને વાગ્યો બોલ
મયંક અગ્રવાલની પાંસળીમાં વાગ્યો બોલ
લક્ષ્યનો પીછો કરતા ઉમરાન મલિકનો એક બોલ પંજાબના કેપ્ટન મયંક અગ્રવાલની પાંસળીમાં વાગ્યો. આ બોલ લગભગ 143 KPHની ઝડપે હતો. બોલ વાગ્યા બાદ મયંક મેદાન પર ઢળી પડ્યો હતો અને ઘણા સમય સુધી મેચ અટકાવી પડી. શાહરૂખ ખાનના આઉટ થયા બાદ પંજાબના કેપ્ટન મયંક અગ્રવાલ 7મી ઓવરમાં બેટિંગ માટે મેદાનમાં ઉતર્યા. ઉમરાન મલિકે તેનુ સ્વાગત શૉર્ટ બોલથી કર્યુ. બોલની ઝડપને મયંક અગ્રવાલ સમજી શક્યા નહીં અને બોલ સીધો તેમની પાંસળીમાં વાગ્યો. જો કે, દુ:ખાવો થતાં મયંકે એક રન તો લીધો પરંતુ ત્યારબાદ તેઓ મેદાન પર ઢળી પડ્યા. ફીઝીયોએ આવીને તેમની પાંસળી જોઈ અને થોડી વાર બાદ જ્યારે ખેલાડીને સારું મહેસૂસ થયુ તો તેઓ પાછા રમવા લાગ્યા. બીજી ઓવરમાં મયંક મોટો શૉટ મારવાના પ્રયાસમાં તેઓ આઉટ થયા.
વાત મુકાબલાની કરીએ તો અર્શદીપ સિંહે ભારતીય ટીમમાં પસંદગીની ઉજવણી બોલિંગની સાથે મનાવીને ચાર ઓવરમાં માત્ર 25 રન આપ્યાં. તો હરપ્રીત બરારે ચાર ઓવરમાં 26 રન આપીને ત્રણ વિકેટ લીધી. તેમણે પ્રિયમ ગર્ગ, રાહુલ ત્રિપાઠી અને એડેન માર્કરામને પેવેલિયન મોકલ્યો. ચાર ક્વોલિફાયર ટીમ નક્કી થઇ ગઇ છે. પરંતુ આ મેચ ઔપચારિકતાને કારણે બચી છે. સનરાઈઝર્સની ટીમ ખૂબ થાકેલી હોય તેવુ પ્રતિત થઇ રહ્યું છે અને ખેલાડીઓમાં પ્રેરણાનો અભાવ સ્પષ્ટ જોવા મળ્યો. સનરાઈઝર્સ માટે આ સત્રમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારા બેટ્સમેન અભિષેક શર્માએ એક વખત સારી શરૂઆત કરી. પરંતુ તેને મોટી ઈનિંગમાં બદલી શક્યા નહીં. તેમણે 32 બોલમાં 43 રન બનાવ્યાં.