સનરાઈઝર્સ હૈદરાબાદના ખેલાડી ઉમરાન મલિકને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવાની માગ રાજકીય સર્કલમાંથી ઉઠી છે.
સનરાઈઝર્સ હૈદરાબાદના ઉમરાન મલિકને ટીમ ઈન્ડીયામાં સામેલ કરવાની ઉઠી માગ
કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓએ બીસીસીઆઈને લખ્યો પત્ર
શશિ થરુર અને ચીદમ્બરમે કહ્યું-મલિકને ટીમ ઈન્ડીયામાં સામેલ કરો
સનરાઈઝર્સ હૈદરાબાદના ફાસ્ટ બોલર ઉમરાન મલિકને ટીમ ઈન્ડીયામાં સામેલ કરવાની માગ ઉઠી રહી છે. કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓએ મલિકને ટીમ ઈન્ડીયામાં સામેલ કરાય તે માટે બીસીસીઆઈને પત્ર લખ્યો હતો. પહેલા શશી થરુર અને હવે પી ચીદમ્બરમે આવી માગ ઉઠાવી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમે બીસીસીઆઈને પત્ર લખીનેસનરાઈઝર્સ હૈદરાબાદના ખેલાડી ઉમરાન મલિકને ટીમ ઈન્ડીયામાં સામેલ કરવાની માગ ઉઠાવી છે. ગુજરાત સામેની મેચમાં 25 રનમાં 5 વિકેટ ઝડપ્યા બાદ રાતોરાત તેના ચાહકોની સંખ્યા વધી ગઈ છે.
The Umran Malik hurricane is blowing away everything in its way
The sheer pace and aggression is a sight to behold
After today’s performance there can be no doubt that he is the find of this edition of IPL
ચિદમ્બરમે તેમના વખાણ કરતા બે માંગ બીસીસીઆઇ સમક્ષ મુકી છે. તેમણે ટ્વિટ કર્યું હતું કે, ભારતીય ક્રિકેટ બોર્ડે આ બોલરને રાષ્ટ્રીય ટીમમાં સ્થાન આપવું જોઈએ અને તેના માટે ખાસ કોચની વ્યવસ્થા કરવી જોઈએ.તેમણે બીજા ટ્વિટમાં લખ્યું છે કે ઉમરાન મલિકનું તોફાન તેના માર્ગમાં દરેક વસ્તુને ફૂંકી રહ્યું છે. ઝડપ અને આક્રમકતા જોવા જેવી છે. આજના પ્રદર્શન બાદ એ વાતમાં કોઈ શંકા નથી કે તે આઈપીએલની આ સિઝનની શોધ છે.
ઉમરાન મલિકે ગુજરાત સામેની મેચમાં મેળવી આ સિદ્ધી
ઉમરાન મલિકે ગુજરાત સામેની મેચમાં રિદ્ધિમાન સાહાને 152.8 કિમી પ્રતિ કલાકની ઝડપે યોર્કર નાંખ્યો હતો અને તેને ક્લિન બોલ્ડ કર્યો હતો. જો કે તેના જોરદાર પ્રદર્શન છતાં હૈદરાબાદની ટીમ મેચ જીતવામાં નિષ્ફળ રહી હતી અને રાહુલ તેવટિયાએ 21 બોલમાં અણનમ 40 રન અને રાશિદ ખાને તેની શાનદાર બેટિંગના કારણે 11 બોલમાં અણનમ 31 રન બનાવ્યા હતા, ગુજરાતે 5 વિકેટથી મેચ પોતાના નામે કરી લીધી હતી.
We need him in India colours asap. What a phenomenal talent. Blood him before he burns out! Take him to England for the Test match greentop. He and Bumrah bowling in tandem will terrify the Angrez! #UmranMalikhttps://t.co/T7yLb1JapM
શશી થરુરે પણ મલિકને ટીમ ઈન્ડીયામાં સામેલ કરવાની માગ ઉઠાવી હતી
ઉલ્લેખનીય છે કે આઈપીએલની શરુઆતમાં જ્યારે મલિકે લીધેલી ચાર વિકેટને કારણે સનરાઈઝર્સ હૈદરાબાદ પંજાબ કિંગ્સ સામેની મેચ જીતી ગઈ હતી ત્યારે કોંગ્રેસ નેતા શશી થરુરે પણ એવી માગ કરી હતી કે ઉમરાન મલિકને ટીમ ઈન્ડીયામાં સામેલ કરવો જોઈએ. તેમણે ટ્વીટ કર્યું હતું કે બીસીઆઈએ મલિકને ટીમ ઈન્ડીયામાં સામેલ કરવો જોઈએ. તેમણે કહ્યું કે શું અસાધારણ ટેલેન્ટ છે, તેમણે કહ્યું કેઉમરાનને ટેસ્ટ રમવા ઈંગ્લેન્ડ લઈ જવો જોઈએ. મલિક અને બુમરાહની બોલિંગથી અંગ્રેજોમાં તરખાટ મચી જશે.