ભાવનગરના જકાતનાકા પાસે ડાઇવર્ઝનના કારણે કાર તણાઇ હતી. અમદાવાદથી ભાવનગર આવતી કાર તણાતા 7 કારસવારોમાંથી 5 વ્યક્તિઓ કાર સાથે તણાયા હતા. જોકે, 3 લોકોને બચાવીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય 2 લોકોની શોધખોળ ચાલી રહી છે. જ્યારે 7 કારસવારમાંથી 2 લોકોના મોત નિપજ્યાં છે.
ભાવનગરના જકાતનાકા પાસે ડાઇવર્ઝનના કારણે કાર તણાઇ હતી. અમદાવાદથી ભાવનગર આવતી કાર તણાતા 7 કારસવારોમાંથી 5 વ્યક્તિઓ કાર સાથે તણાયા હતા. જોકે, 3 લોકોને બચાવીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય 2 લોકોની શોધખોળ ચાલી રહી છે. જ્યારે 7 કારસવારમાંથી 2 લોકોના મોત નિપજ્યાં છે.
સરકારે 2 મૃતકોને 4-4 લાખની સહાય જાહેર કરી
ભાવનગરમા કાર પાણીમાં તણાઈ જવાનો મામલે સરકાર દ્વારા 2 મૃતકોને 4-4 લાખની સહાય જાહેર કરી છે. કાર પાણીમાં તણાઇ જતા પતિ-પત્નીના મોત થયા હતા. જોકે ઘટનામાં હજુ 2 લોકો લાપતા છે.
જોકે કેયુર ઉમરાળિયા(પુત્ર), રીટા ઉમરાળિયા(પુત્રવધુ)નો મૃતદેહ મળ્યો છે. દિનેશભાઈ, ચેતન ઉમરાળિયા(પુત્ર), નેહા(પુત્રી)નો બચાવ થયો છે. જ્યારે લતાબહેન(દિનેશભાઈના પત્ની), આધ્યા (દિનેશભાઈના પૌત્રી) હજુ લાપતા છે.
છેલ્લા થોડા દિવસથી ઉપરવાસમાં ભારે વરસાદને કારણે આખલોલ નદીમાં પાણીની પુષ્કળ આવક થઇ રહી છે. ત્યારે આ નદીના પુરમાં કાર તણાઇ હતી.