અમદાવાદમાં આજે ઉમિયાધામ મંદિરનો શિલાન્યાસ મહોત્સવ યોજાનાર છે જેને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.જાણો કેવું હશે ઉમિયાધાન મંદિર
નાગરશૈલીની પ્રાચીન થીમ પર ભવ્ય મંદિર બનશે
મંદિરની લંબાઇ 255 ફૂટ અને 160 ફૂટ પહોળાઇ હશે
132 ફૂટ ઊંચા શિખર કળશ સાથે મંદિર બનશે
અમદાવાદમાં આજે ઉમિયાધામ મંદિરનો શિલાન્યાસ મહોત્સવ યોજાનાર છે જેને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આજે 11થી 13 ડિસેમ્બર સુધી ત્રણ દિવસ દરમિયાન મંદિરનો શિલાન્યાસ કાર્યક્રમ યોજાનારે છે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક આગેવાનો હાજર રહેશે ત્યારે 13 ડિસેમ્બરે ખૂદ PM મોદી પણ વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કરશે.
મંદિરની લંબાઇ 255 ફૂટ અને 160 ફૂટ પહોળાઇ હશે
મહત્વનું છે કે ઉમિયાધામ મંદિર 74 હજાર વાર ક્ષેત્રમાં વિસ્તરેલું છે નાગરશૈલીની પ્રાચીન થીમ પર નિર્માણ પામનાર મંદિર રૂપિયા 1500 કરોડના ખર્ચે આકાર પામનાર છે જેમાં ધર્મ સંકુલ, શિક્ષણ સંકુલ સહિતની ઇમારતો બનાવવામાં આવશે.એટલું જ નહીં 1200 કરતા વધુ યુવક-યુવતીઓ ભણી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવનાર છે. જેમાં દરેક સમાજને લાભ મળે તેવા ઉદેશ્ય સાથે આરોગ્ય સંકુલ બનાવવામાં આવ્યું છે.
મંદિરની લંબાઇ 255 ફૂટ અને 160 ફૂટ પહોળાઇ હશે
અમદાવાદમાં સૌથી મોટું એવું ઉમિયાધામ મંદિર આકાર લેવા જઇ રહ્યું છે. ત્યારે આજે મંદિરનો શિલાન્યાસ થનાર છે મહત્વનું છે 1866 વર્ષ પહેલા જ ઉમિયા માતાજી ઊંઝામાં બિરાજમાન છે. ત્યારે અમદાવાદમાં ભવ્ય મંદિર ઉમિયાધાન મંદિરનું નિર્માણ થનાર છે આ ઉમિયાધાન કેમ્પસમાં ભોજનાલય પણ બનાવવામાં આવશે.
132 ફૂટ ઊંચા શિખર કળશ સાથે મંદિર બનશે
વિદ્યાર્થીઓને રહેવા માટે હોસ્પિટલ પણ બનાવાશે. 132 ફૂટ ઊંચા શિખર કળશ સાથે મંદિર બનશે. જેમાં મંદિરની લંબાઇ 255 ફૂટ અને 160 ફૂટ પહોંચાઇ હશે મંદિર નિર્માણમાં લોંખડનો વપરાશ નહીં થાય તેમજ મંત્રોચ્ચાર સાથે પોથીયાત્રા નીકળશે. અહીં ઉલ્લેખનિય કે અત્યાર સુધીમાં 60 કરોડનું દાન ઊંઝા ઉમિયાધામને મળ્યું, દેશ-વિદેશમાં અનેક દાતાઓનો સહકાર મળ્યો છે. જ્યારે 65 કરોડ જેટલું ફંડ સંસ્થા પાસે છે.