આજે શનિવારે વૈષ્ણોદેવી સર્કલ પાસે જાસપુર ખાતે વિશ્વ ઉમિયા ધામમાં ઉમિયા મંદિરના શિલાન્યાસ સમારોહના બીજા દિવસે શિલાન્યાસ વિધિ કરાઇ હતી.આ પહેલા મંદિરના ગર્ભગૃહની 10 ફૂટ નીચે પંચધાતુનું મિશ્રણ શુદ્ધીકરણ માટે નખાયું હતું. સોનું, ચાંદી, તાંબું, ઝવેરાત, મોતીનું 14 કિલોનું મિશ્રણ નખાવામાં આવ્યું હોવાનું મંદિરના ટ્રસ્ટીએ જણાવ્યું હતું. આ તમામ 14 કિલો ધાતુ 20થી વધુ દાતાના ઘરેથી એકત્રિત કરીને લવાઈ હતી.
વિશેષ શીલાઓનું પૂજન અને કળશ પૂજન અને તેનું સ્થાપન કરાયું
જર્મન અને ભારતના આર્કિટેક મંદિરની સંપૂર્ણ ડિઝાઇન તૈયાર કરશે
દંપતિઓ શાસ્ત્રોક્ત વિધિ અને વૈદિક મંત્રોચાર સાથે પૂજન વિધિનો લાભ લીધો
431 ફૂટ ઉંચા મંદિરનું 100 વીઘા જમીનમાં એક હજાર કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવશે. આ શિલાન્યાસ સમારોહમાં સંતો, મહંતો અને પાટીદાર અગ્રણીઓ સામેલ થયા છે. દંપતિઓ શાસ્ત્રોક્ત વિધિ અને વૈદિક મંત્રોચાર સાથે પૂજન વિધિનો લાભ લીધો હતો.
વિશેષ શીલાઓનું પૂજન અને કળશ પૂજન અને તેનું સ્થાપન કરાયું
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા વૈષ્ણોદેવી સર્કલના જાસપુર પાસે 431 ફૂટના વિશ્વના સૌથી ઊંચા મા ઉમિયાના મંદિરનો શિલાન્યાસ સમારોહ આજ બીજો દિવસ છે. આજના દિવસે ભૂમિપૂજન, વિશેષ શીલાઓનું પૂજન અને કળશ પૂજન અને તેનું સ્થાપન કરાયું હતું. વૈદિક મંત્રોચ્ચાર સાથે દંપતિઓએ શિલાપૂજન, ભૂમિપૂજન અને કળશનું પૂજન કર્યું હતું. અહીં મંદિરના નિર્માણમાં અને ખાસ કરીને ગર્ભગૃહમાં ઉપયોગમાં લેવાની વિશેષ શીલાઓનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરાયું હતું.
જર્મન અને ભારતના આર્કિટેક મંદિરની સંપૂર્ણ ડિઝાઇન તૈયાર કરશે
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા વૈષ્ણોદેવી સર્કલના જાસપુર પાસે 431 ફૂટના વિશ્વના સૌથી ઊંચા મા ઉમિયાના મંદિરનો શિલાન્યાસ સમારોહ આજ બીજો દિવસ છે. શિલાન્યાસના બીજા દિવસે જર્મનના આર્કિટેક જાસપુર આવી પહોંચ્યાં છે. ઇન્ડોર જર્મન ટેક્નોલોજીથી મંદિરનું નિર્માણ કરવાનું હોવાથી જર્મન અને ભારતના આર્કિટેક મંદિરની સંપૂર્ણ ડિઝાઇન તૈયાર કરશે. આ મંદિરની નિર્માણમાં પાંચ વર્ષ જેટલો સમય લાગી શકે છે. આજે ભૂમિ પૂજન સાથે શિલાન્યાસની વિઘિ કરવામાં આવી હતી. જેમાં દંપતિઓએ શ્રદ્ધાથી ભાગ લીધો હતો.