ઊંઝા ખાતે ઉમિયા માતાજીના સાનિધ્યમાં લક્ષચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે દરરોજ લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવી રહ્યા છે. તાજેતરમાં અમદાવાદ ખાતે ગુજરાતના સમસ્ત પાટીદાર સમાજ માટે વિકાસના વૈશ્વિક દ્વાર ખોલવા અમદાવાદને કેન્દ્ર બનાવી, સામાજિક, શૈક્ષણિક, કૃષિ આરોગ્ય, ઉદ્યોગ, ધાર્મિક ક્ષેત્રના વિવિધ 1400 કરોડના પ્રોજેકટ અમદાવાદ ખાતે હાથ ધરવામાં આવ્યા છે.
ઊંઝા ખાતે લક્ષચંડી યજ્ઞનું આયોજન
અમદાવાદ ખાતે 1400 કરોડના કામ હાથ ધરાયા
સંસ્થાના મોવડી મંડળ દ્વારા પ્રાપ્ત થયેલ અહેવાલ અનુસાર, આગામી પાંચ તમામ પ્રોજેકટ કાયાન્વિત થઈ જશે તેના માટે વિકાસના વૈશ્વિક દ્વાર ખોલવા દાતાઓને અનુદાન આપવા અપીલ કરવામાં આવેલી છે.
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા કરાયું આયોજન
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના સમારંભમાં થોડા સમય પહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ખાસ હાજરીમાં રચાયેલ સંસ્થામાં છેલ્લા બે વર્ષમા રૂ.400 કરોડથી વધુ રકમ સમાજ માટે સમર્પિત કરવાની દેશ-વિદેશના દાતાઓની પહેલને કારણે આ સપનું સાકાર કરવાની દિશામાં સમગ્ર સમાજ ઝડપભેર આગળ વધી રહ્યી છે.
29 ફેબ્રુઆરી-2020ના રોજ વિકાસ કાર્યોનું થશે ખાતમુહુર્ત
નોંધનીય છે કે, આ વિકાસ કાર્યો માટે 100 વિઘા જમીનની ખરીદી કરવામાં આવ્યા બાદ હવે વિવિધ પ્રોજેકટનું આગામી તા.29 ફેબ્રુઆરી-2020ના રોજ અમદાવાદ ખાતે ખાતમુહુર્ત યોજાશે. અમદાવાદ-ગાંધીનગર હાઈ-વે પર વૈષ્ણવદેવી સર્કલ નજીક નિર્માણ પામનારા પાટીદાર સમાજના આ વિકાસ મંદિરનું ખાતમુહુર્ત મુખ્યદાતા પરિવાર, સંતો-મહંતો,દાતાઓ -આગેવાનો અને સમાજની ઉપસ્થિતીમાં યોજાશે.