ટીમ ઈન્ડિયાના ઝડપી બોલર ઉમેશ યાદવ છેતરપિંડીનો શિકાર બન્યો છે. ઉમેશ યાદવે નાગપુરના કોરાડીમાં પોતાના પૂર્વ મેનેજર વિરુદ્ધ લગભગ 44 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ઉમેશ યાદવની ફરિયાદ બાદ હવે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. જાણકારી અનુસાર ઉમેશ યાદવે આ ફરિયાદ પોતાના પૂર્વ મેનેજર શૈલેશ ઠાકરે સામે નોંધાવી છે. ઉમેશ યાદવની આવક, બેંકની વિગતો અને અન્ય તમામ બાબતો માટે શૈલેષ જવાબદાર હતો. જો કે ઉમેશ યાદવનો આરોપ છે કે, તેમની પાસેથી પૈસા લઈને તેમણે કોઈ કામ કર્યું નથી.
Ace pacer Umesh Yadav allegedly cheated of Rs 44 lakh by his friend-turned-manager under pretext of purchasing a plot in cricketer's name in Nagpur city of Maharashtra: Police
શું બન્યું ઉમેશ યાદવ સાથે
ઉમેશ યાદવે પ્રોપર્ટી ખરીદવા માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં પોતાના ખાતામાં 44 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. પરંતુ શૈલેષ ઠાકરેએ આ રૂપિયા ઉપાડી લીધા અને પોતાના નામે સંપત્તિ ખરીદી લીધી. ઉમેશ યાદવને આ પૈસા પાછા મળ્યા નથી.
જ્યારે ભારતીય ક્રિકેટરે તેના પૈસા પાછા માંગ્યા ત્યારે શૈલેષ ઠાકરે ભાગી ગયો હતો. જે બાદ હવે તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે નાગપુર શહેરના કોરાડીમાં આઈપીસીની કલમ 406, 420 હેઠળ કેસ નોંધ્યો છે.
54 મેચમાં 165 વિકેટ ઝડપી ઉમેશે
ઉમેશ યાદવને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં સ્થાન મળ્યું છે. ઉમેશ યાદવે ભારત માટે અત્યાર સુધી 54 મેચમાં 165 વિકેટ લીધી છે, જ્યારે 75 વન-ડેમાં તેના નામે 106 વિકેટ છે.