BSP ધારાસભ્ય રાજુ પાલની હત્યાનો મુખ્ય આરોપી અશરફ બરેલી જેલમાં બંધ, પોલીસે બરેલી જેલના કોન્સ્ટેબલ શિવહરી અવસ્થી અને જેલમાં શાકભાજી સપ્લાય કરતા નન્હેની કરી ધરપકડ
ખાલિદ અઝીમ ઉર્ફે અશરફ બરેલી જેલમાં સદ્દામને સતત મળતો હતો
પોલીસે જેલના કોન્સ્ટેબલ શિવહરી અવસ્થીની ધરપકડ કરી
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ઉમેશ પાલ મર્ડર કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે, આ હત્યા કેસનો આરોપી અને માફિયા અતીક અહેમદનો ભાઈ ખાલિદ અઝીમ ઉર્ફે અશરફ બરેલી જેલમાં તેના સાળા સદ્દામ અને અન્ય સંચાલકોને સતત મળતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. અશરફ BSP ધારાસભ્ય રાજુ પાલની હત્યાનો મુખ્ય આરોપી છે. અશરફ બરેલી જેલમાં બંધ છે. આ તરફ હવે પોલીસે બરેલી જેલના કોન્સ્ટેબલ શિવહરી અવસ્થી અને જેલમાં શાકભાજી સપ્લાય કરતા નન્હે ઉર્ફે દયારામની ધરપકડ કરી હતી. આ બંને માફિયા અતીક અહેમદના ભાઈને ગેરકાયદેસર રીતે પૈસા લઈને મળતા હતા અને જેલમાં અશરફને સામાન સપ્લાય કરતા હતા.
અમદાવાદની સાબરમતી જેલમાં બંધ માફિયા અતીક અહેમદ અને બરેલી જેલમાં બંધ અતીકના ભાઈ અશરફ પર જેલમાંથી ઉમેશ પાલની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ છે. આરોપો અનુસાર અશરફના સાળા સદ્દામ અને તેના સાથી લલ્લા ગદ્દી અને અન્ય સહયોગીઓ પરમીશન વગર જેલમાં અશરફને મળતા હતા. એક-બે આઈડી પર છથી સાત લોકો અશરફને મળતા હતા. જેલમાં મીટિંગનો સમય 40 મિનિટનો છે, પરંતુ અશરફ જેલમાં બેથી અઢી કલાક તેમને મળતો હતો. આ બેઠક જેલની અંદરના ગોડાઉનમાં થતી હતી. આ બેઠકોનું આયોજન બરેલી જેલના કોન્સ્ટેબલ શિવહરી અવસ્થીએ કર્યું હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે.
UP | Two including a prison official arrested for facilitating meets between Atiq Ahmed's jailed brother Ashraf and his aides
Irregularities have come to the fore. Ashraf's brother-in-law Saddam used to meet him in jail with the help of jail guard Shiv Hari Awasthi: SSP Bareilly pic.twitter.com/640q2go8qF
પોલીસે તપાસ માટે SITની રચના કરી
પોલીસના જણાવ્યા મુજબ નન્હે ઉર્ફે દયારામ સવારે કેન્ટીનની વસ્તુઓ અને શાકભાજી બરેલી જેલમાં લઈ જતો હતો અને તે જ વસ્તુઓમાં નન્હે અશરફની ખાવાની વસ્તુઓ અને પૈસા લેતો હતો. અશરફનો સાળો સદ્દામ જેલની બહાર નાનાને પૈસા અને સામાન આપતો હતો. અશરફને 2020માં નૈની જેલમાંથી બરેલી જેલમાં ખસેડવામાં આવ્યો હતો, ત્યારથી સદ્દામ બરેલીમાં રહેતો હતો. સદ્દામે અહીંના બારાદરી પોલીસ સ્ટેશનના ફૈક એન્કલેવમાં મુસ્તાકના નામે ભાડે મકાન લીધું છે. પોલીસે સમગ્ર મામલાની તપાસ માટે SITની રચના કરી છે.
બરેલી જેલમાં કેટલા લોકો અશરફને મળ્યા ?
અત્યાર સુધીની તપાસમાં એ વાત સામે આવી છે કે, બરેલી જેલમાં 45 લોકો અશરફને મળ્યા છે. હવે આ મળનારા લોકોના નામ જોવામાં આવી રહ્યા છે અને તે કોણ છે તે જાણવામાં આવી રહ્યું છે. અશરફ પ્રયાગરાજમાં ઉમેશ પાલની હત્યાનો આરોપી નંબર ટુ છે. યુપીની યોગી સરકાર માફિયાઓ પર કડક કાર્યવાહી કરી રહી છે. માફિયાઓની ગેરકાયદે મિલકતો પર બુલડોઝર ચાલી રહ્યું છે. સાથે જ જેલમાં બંધ માફિયાઓને મદદ કરનારાઓનો પણ અંત આવ્યો છે.
નોંધનીય છે કે, ચિત્રકૂટ જેલના જેલ સુપ્રિટેન્ડેન્ટ અશોક કુમાર સાગર, જેલર સંતોષ કુમાર અને જેલ વોર્ડન જગમોહન સિંહની ગઈ કાલે પોલીસે ધરપકડ કરી છે. ત્રણેય પર આરોપ છે કે,તેઓ ચિત્રકૂટ જેલમાં બંધ માફિયા મુખ્તાર અંસારીના પુત્ર અબ્બાસ અન્સારી પાસેથી પૈસા લેતા હતા અને અબ્બાસને તેની પત્ની સાથે મુલાકાત કરાવતા હતા. ચિત્રકૂટ જેલમાં દરોડા દરમિયાન અબ્બાસ અંસારીની પત્ની જેલની અંદરથી મળી આવી હતી.