ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ઉમા ભારતીએ ખુદ ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી હતી.
આપને જણાવી દઇએ કે, તાજેતરમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ કોરોના પોઝિટિવ હોવાનું માલુમ પડ્યા બાદ, ઉમા ભારતીએ પણ તેમનો કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. ઉમા ભારતીએ એક પછી એક ત્રણ ટ્વિટ કરીને કહ્યું કે તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
कोरोना पॉजिटिव पाए जाने के बाद मध्य प्रदेश के मुख्यमंत्री मेरे बड़े भाई श्रीमान् शिवराज सिंह जी ने इस तथ्य को सार्वजनिक करते हुए इन दिनों अपने संपर्क में आए हुए लोगों से कोरोना टेस्ट कराने की अपील की थी।
મારો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે, ઉમા ભારતીએ કર્યું ટ્વીટ
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઉમા ભારતીએ ટ્વિટ કર્યું હતું કે 'કોરોના પોઝિટિવ મળ્યા પછી મારા મોટા ભાઈ શિવરાજસિંહ જી, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી, આ હકીકત જાહેર કર્યા અને આ દિવસોમાં સંપર્કમાં રહેલા લોકોને કોરોના પરીક્ષણ કરાવવા અપીલ કરી હતી. જેથી હું 22 જુલાઈએ મુખ્યમંત્રી નિવાસસ્થાન શ્યામલા હિલ્સ પણ ગયેલ અને મેં મુખ્યમંત્રી અને તેમના પરિવારના સભ્યોની મળેલ. ગઈકાલે મારો કોરોના ટેસ્ટ થયો હતો અને આજે મારો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
ઉમા ભારતીએ કહ્યું હું તેમનું ઘરે સ્વાગત કરીશ
कोरोना पॉजिटिव पाए जाने के बाद मध्य प्रदेश के मुख्यमंत्री मेरे बड़े भाई श्रीमान् शिवराज सिंह जी ने इस तथ्य को सार्वजनिक करते हुए इन दिनों अपने संपर्क में आए हुए लोगों से कोरोना टेस्ट कराने की अपील की थी।
તેમણે આગળના ટવીટમાં લખ્યું, 'હવે હું મારા ભાઇ શિવરાજસિંહ ચૌહાણની હોસ્પિટલથી વહેલા ઘરે પહોંચવાની રાહ જોઈ રહી છું અને હું ત્યાં તેમનું સ્વાગત કરું.
આપને જણાવી દઇએ કે, એક દિવસ અગાઉ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણને પણ કોરોનાવાયરસથી ચેપ લાગ્યો હતો. આ પહેલા આજે શિવરાજસિંહ ચૌહાણે એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તેણે પોતાને "એકદમ ઠીક" ગણાવ્યા હતા. તેમણે અપીલ કરી છે કે જે લોકો કોરોનોવાયરસના લક્ષણો બતાવી રહ્યા છે, તેઓએ તેમની તપાસ કરાવવી જોઇએ.