મંત્રીમંડળ વિસ્તારમાં કદ ઓછું થવાના કારણે ઉમા ભારતી નારાજ થયા છે અને એટલે જ ઉમાએ મોદી સરકારમાં કામ કરવાનું બંધ કરી દીધું છે. તે પોતાના કાર્યાલયમાં પણ નથી જઇ રહ્યા. સંસદના શિયાળુ સત્રમાં પણ તે વધુ જોવા મળ્યા નથી. વ્હિપ જારી થયા બાદ પણ તેઓ માત્ર એક દિવસ સંસદમાં દેખાયા. આ સાથે જ તેમણે દિલ્હીનો સરકારી બંગલો પણ છોડી દીધો છે.
ઉમા હાલ એટલા નારાજ છે કે પોતાના લોકો સાથે પણ તેઓ મુલાકાત નથી કરી રહ્યા. ઉમા હાલ સંઘ પ્રમુખ મોહન ભાગવત સાથે મુલાકાત કરી હતી અને ઉમા ભરતી ફરી એક વાર મોહન ભાગવત સાથે મુલાકાત કરે તેવી શક્યતા છે. ઉમા પોતાના કદમાં થયેલા ઘટાડાથી નારાજ છે અને સંઘનો સહારો લઇને દિલ્હી છોડીને મધ્ય પ્રદેશના રાજકારણમાં પરત ફરવા માગે છે. બીજી તરફ શિવરાજ સિંહ અને તેની ટીમ કોઇ પણ કિંમતે મધ્ય પ્રદેશમાં ઉમા પરત ફરે તેવું ઇચ્છતા નથી.
2012 માં તેઓ ઉત્તરપ્રદેશ વિધાનસભાના સભ્ય બન્યા હતા. 2014માં ઉમા ભારતી ઝાંસીથી લોકસભાની ચૂંટણી જીતીને દિલ્હી પહોંચ્યા હતા. મોદીએ તેમને ગંગાની સફાઈ કરાવવાની જવાબદારી આપી છે પરંતુ તે સંપૂર્ણપણે અસફળ સાબિત થયા છે. તેથી જ તેમના વિભાગમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ઉમા તેના કદમાં થયેલા કટ સાથે ખુશ નથી પરંતુ એ પણ જાણે છે કે જો તે પોતાનું મોં ખોલશે તો મોદી સરકાર તેમણે તેમનો રસ્તો બતાવી દેશે.
ઉમાની નજીકના સૂત્રોએ એમ પણ કહે છે કે જો ઉમાનું કહ્યું માનવામાં નહિ આવે તો તે મંત્રીપદ છોડી દેશે અને કેદારનાથ જતા રહેશે. ચૂંટણી વર્ષમાં સંઘ આવા કોઈ પણ પ્રકારના ડખા નથી ઇચ્છતું. હવેમોહન ભાગવત શું રસ્તો કાઢશે તે જોવાનું રહેશે?