વિદેશ પ્રધાન સુષમા સ્વરાજના એલાન બાદ ઉમા ભારતીએ જાહેરાત કરી છે કે તેઓ 2019માં યોજાનારી લોકસભા ચૂંટણી લડશે નહીં પરંતું અયોધ્યમાં રામ મંદિર માટે લડાઇ ચાલુ રાખશે.
ઉમાભારતીએ કહ્યું કે તેઓ આગામી છ મહીના ઉત્તર પ્રદેશમાં રામ મંદિર અને ગંગા નદીની સફાઇના મુદ્દા પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરશે. ઉલ્લેખનીય છે કે રામ મંદિર મુદ્દે પર ઉમા ભારતી દરેખ વખતે પોતાના નિવેદનને લઇને ચર્ચામાં રહે છે.
ઉમા ભારતની જ્યારે આ અંગે પુછવામાં આવ્યું ત્યારે કહ્યું જ્યારે 2016માં મે ભાજપ અધ્યક્ષ અમિત શાહ સાથે વાત કરી હતી ત્યારે મને રાજીનામું નહી આપવાનું જણાવ્યું હતું.
મારા આ નિર્ણય પર પણ પક્ષ અંતિમ નિર્ણય લેશે પરંતુ હું આવનાર દોઢ વર્ષ સુધી માત્રને માત્ર રામ મંદિર નિર્માણ અને ગંગા નદીની સફાઇ પર ધ્યાન આપીશ. ઉમા ભારતીએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે રામ મંદિર અમારી આસ્થાનું એક કેન્દ્ર બિંદુ છે.
અમે રામ ભગવાનને ચૂંટણીમાં હાર-જીતની નજરથી જોતા નથી. રામ મંદિરનું નિર્માણ હવે આંદોલન દ્વારા નહીં પરંતુ વાતચીના માધ્યમથી કરવામાં આવશે. જો અધ્યાદેશ લાવવામાં આવે તો કોંગ્રેસે અમારો સાથ આપવો જોઇએ.
ઉમા ભારતીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે આરએસએસ સહિત દરેક હિન્દુ સંગઠ કેન્દ્ર સરકારને રામ મંદિર નિર્માણ માટે અધ્યાદેશ લાવવાની માંગ કરી રહ્યું છે. ઉમા ભારતી શરૂઆતથી જ રામ મંદિર આંદોલનનો મુખ્ય ચહેરો રહ્યાં છે.
ઉમા ભારતીએ 1989માં ખજુરાહોથી લોકસભા બેઠક પર જીત મેળવી હતી. ત્યાર બાદ 1991 1996 અને 1998ની ચૂંટણીમાં પણ આ બેઠક પરથી જીત્યા હતા. ત્યારબાદ 2003માં ઉમા ભારતીના નેતૃત્વમાં મધ્યપ્રદેશમાં બહુમત પ્રાપ્ત કર્યો અને તેઓ મુખ્યમંત્રી બન્યા. જો કે ઓગસ્ટ 2004માં મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું.