યૂપીના અયોધ્યામાં રામ મંદિર ભૂમિપૂજનને લઈને તૈયારીઓ ચાલી રહી છે. 2 દિવસ બાદ 5 ઓગસ્ટે અહીં પીએમ મોદી ભૂમિપૂજન માટે આવવાના છે. પરંતુ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય ભાજપના નેતાઓ કોરોનાના સકંજામાં આવવાના કારણે ચિંતા વધી છે. ભારતીય જનતા પાર્ટીના નેતા ઉમા ભારતીએ પણ ટ્વિટ કરીને કહ્યું કે તે અયોધ્યા ભૂમિપૂજન કાર્યક્રમમાં તો આવશે પણ મંદિર સ્થળ પર ન આવીને સરયૂના કિનારે હાજરી આપશે. આ સાથે તેઓએ કહ્યું છે કે મહેમાનોની યાદીમાંથી તેમનું નામ હટાવી દેવામાં આવે.
ઉમા ભારતીએ કોરોનાને લઈને કહી મહત્વની વાત
ઉમા ભારતી મંદિર સ્થળે નહીં પણ સરયૂના કિનારે હાજરી આપશે
શિલાન્યાસ કાર્યક્રમના લિસ્ટમાંથી પોતાનું નામ હટાવવાનું કર્યું સૂચન
कल जब से मैंने श्री @AmitShah जी तथा @BJP4UP के नेताओं के बारे में कोरोना पोज़िटिव होने का सुना तभी से मै अयोध्या में मंदिर के शिलान्यास में उपस्थित लोगों के लिये ख़ासकर @narendramodi जी के लिये चिंतित हूँ ।
સોમવારની સવારે ઉમા ભારતીએ અનેક ટ્વિટ કર્યા છે. તેઓએ લખ્યું કે કાલથી જ્યારે મેં અમિત શાહજી અને બીજેપીના અન્ય નેતાઓના કોરોના પોઝિટિવ હોવાનું સાંભળ્યું છે ત્યારથી અયોધ્યામાં મંદિરના શિલાન્યાસમાં ઉપસ્થિત લોકો ખાસ કરીને પીએમ મોદી માટે ચિંતિંત છું. આ માટે મેં રામજન્મભૂમિ ન્યાસના અધિકારીઓને સૂચના આપી છે કે શિલાન્યાસના કાર્યક્રમના મૂહૂર્તમાં હું અયોધ્યા સરયૂના કિનારે રહીશ.
यह सूचना मैंने अयोध्या में रामजन्मभूमिन्यास के वरिष्ठ अधिकारी और @PMOIndia को भेज दी है की माननीय @narendramodi के शिलान्यास कार्यक्रम के समय उपस्थित समूह के सूची में से मेरा नाम अलग कर दे ।
બીજેપી નેતાએ લખ્યું કે હું આજે ભોપાલથી નીકળીશ અને કાલે સાંજે અયોધ્યા પહોચવા સુધી મારી કોઈ સંક્રમિત વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે. એવી સ્થિતિમાં જ્યાં પીએમ મોદી, સેંકડો લોકો હાજર હોય તે સ્થાનથી હું દૂર રહીશ. આ તમામના નીકળી ગયા બાદ જ હું રામલલાના દર્શન કરીશ. તેઓએ કહ્યું કે મેં રામજન્મભૂમિ ન્યાસના અધિકારીઓ અને પીએમઓને જાણકારી આપી છે કે પીએમ મોદીના શિલાન્યાસ કાર્યક્રમની યાદીમાંથી મારું નામ હટાવી દેવામાં આવે
ઉલ્લેખનીય છે કે રવિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના કોરોના વાયરસથી સંક્રમિત થવાના સમાચાર આવ્યા છે. તેઓને મેદાંતા હોસ્પિટલમાં એડમિટ કરાયા છે. આ સિવાય કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા, યૂપીના બીજેપી પ્રદેશ અધ્યક્ષ, યૂપી સરકારમાં એક મંત્રી પણ કોરોનાથી સંક્રમિત થયા છે. જ્યારે યૂપી સરકારમાં મંત્રી કમલા રાનીનું કોરોનાથી નિધન થયું છે. આ પહેલાં પણ રામ જન્મભૂમિ પરિસરમાં એક પૂજારી સહિત કેટલાક પોલીસ કર્મીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. એવામાં ભૂમિ પૂજનને લઈને ચિંતા વધી છે.