ભાવનગરના તળાજા અને મહુવામાં અલ્ટ્રાટેક કંપનીના માઈનિંગના વિવાદ મામલે વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે હવે સિમેન્ટ કંપની દ્વારા માઈનિંગ વાળી જગ્યા પુરવાનું કામ શરૂ કરવામાં આવ્યુ છે.
આ મામલે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. કોર્ટે દ્વારા સમગ્ર મામલે તપાસ કરવા માટે સમિતિની રચના કરવામાં આવી છે. કોર્ટ દ્વારા 3 સભ્યોની સમિતિ બનાવી તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.
માઈનિંગથી ખેડૂત અને જમીનને થતા નુકસાન અંગે રિપોર્ટ તૈયાર કરવા આદેશ અપાયો હતો. તપાસમાં ગેરકાયદે માઈનિંગ બહાર ન આવે તે માટે કામ શરૂ કરાયુ છે. આ મામલે કોર્ટ ફરિયાદ બાદ CID ક્રાઈમને તપાસ સોંપાઈ હતી. ત્યારે હવે કંપની દ્વારા એકાએક માઈનિંગનું કામ બંધ કરવામાં આવતા અનેક સવાલ ઉઠ્યા છે.
મહત્વનું છે કે, ભાવનગરના તળાજામાં માઈનિંગ મામલે 52 લોકોએ તળાજા કોર્ટમાં ફરિયાદ કરી હતી. જે મામલે આજથી તળાજા કોર્ટ ફરિયાદીઓના નિવેદન લેવાનું શરૂ કરશે. મહત્વનું છે કે 52 લોકોએ તળાજા પોલીસમાં ફરિયાદ આપી હતી. જેમાં પોલીસકર્મીઓ દ્વારા ખોટી રીતે માર મારવાનો આક્ષેપ કર્યો હતો.