માથાનો દુ:ખાવો હોય કે પગનો દુ:ખાવો, આજકાલ લોકો દરેક વાત પર એન્ટીબાયોટીક્સનુ સેવન કરે છે. પરંતુ હકીકતમાં તેનુ સેવન તમને પેટ અને આંતરડા સાથે જોડાયેલી ઘણી બિમારીઓ તરફ લઇ જઇ શકે છે.
40ની ઉંમરના લોકો થઈ જાય સાવધાન
શું તમે કોઈ પણ સમસ્યામાં એન્ટીબાયોટીક્સ લો છો?
તમે આ ગંભીર બિમારીઓના શિકાર થઇ શકો
એન્ટીબાયોટીક્સનો વધુ પડતો ઉપયોગ તમને બિમાર કરી શકે
શિયાળો વધવાની સાથે લોકોમાં ફેફસા અને પેટની બિમારીઓ ઝડપથી વધી છે. એવામાં એક નામી અખબારનો રિપોર્ટ જણાવે છે કે જાન્યુઆરીના પહેલા અઠવાડિયાની શરૂઆતમાં જ લગભગ 20 લાખ રૂપિયાથી વધુ એન્ટીબાયોટીક્સ વેચાયેલી છે. એટલેકે આખુ વર્ષ જેટલી એન્ટીબાયોટીક્સ દવાઓ નહોતી વેચાઈ એટલી આ મહિનાની શરૂઆતમાં વેચાઈ છે. પરંતુ વિચારવા જેવી વાત એ છે કે આ રીતે એન્ટીબાયોટીક્સનો ઉપયોગ આરોગ્યની દ્રષ્ટિએ કેટલો યોગ્ય છે. તો હાલમાં BMJ Gut Journalમાં પ્રકાશિત આ રિપોર્ટ જણાવે છે કે એન્ટીબાયોટીક્સનો વધુ પડતો ઉપયોગ તમને બિમાર કરી શકે છે. એટલું જ નહીં, 40ની ઉંમર બાદ લોકો માટે આ એક જોખમની ઘંટડી છે.
એન્ટી બાયોટીક્સના કારણે થઇ શકે છે આ નુકસાન
આ સંશોધનમાં એવુ પણ જણાવવામાં આવ્યું છે કે 40 વર્ષ બાદ આવા લોકોમાં એન્ટી બાયોટીક્સના ઘણા નુકસાન જોવા મળ્યાં. જેમકે તેના સેવનથી પેટમાં આંતરડાના બેકટેરિયાને નુકસાન પહોંચે અને આ અલ્સરેટિવ કોલાઈટિસનુ કારણ બની શકે છે. અલ્સરેટિવ કોલાઈટીસ એક સોઝો આંતરડા રોગ છે, જે તમારા પાચન તંત્રમાં સોઝો અને અલ્સરનુ કારણ બને છે. અલ્સરેટિવ કોલાઈટિસ તમારા મોટા આંતરડા, જેને કોલન અને રેક્ટમ પણ કહેવામાં આવે છે, જે આંતરિક સ્તરને પ્રભાવિત કરે છે.