ઇરાન અને અમેરિકાના તણાવ વચ્ચે તેહરાનમાં યુક્રેનનું વિમાન દૂર્ઘટનાગ્રસ્ત થયું છે. આ વિમાનમાં સવાર 170 યાત્રીઓનાં મોત નિપજ્યાં છે. ઇરાનના મીડિયાના સૂત્રો દ્વારા મળતી જાણકારી મુજબ આ દૂર્ઘટના ટેકનિકલ ખામીના કારણે ઘટી છે.
ઇરાનના તહેરાનની પાસે પ્લેન ક્રેશ
ટેકનિકલ ખામીના કારણે વિમાન દુર્ધટનાગ્રસ્ત
180 યાત્રિકો સાથે વિમાન દુર્ઘટનાગ્રસ્ત
યૂક્રેનના વિમાને ઇમામ ખુમૈની આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. જો કે પ્રાથમિક મળતી માહિતી અનુસાર દૂર્ઘટના ટેકનિકલ ખામીના કારણે થઇ છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલ્યના પ્રવક્તા રજા જાફરજાદેહએ જણાવ્યું કે આ વિમાન તેહરાનના દક્ષિણી પશ્ચિમ વિસ્તારમાં દૂર્ઘટનાનો શિકાર બન્યું છે.
દૂર્ઘટનાગ્રસ્ત જગ્યા પર તપાસદળ અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
એક મળતી જાણકારી મુજબ ફલાઇટ નંબર 752 વિમાન જ્યારે દૂર્ઘટનાગ્રસ્ત થયું ત્યારે 7900 ફુટની ઉંચાઇ પર હતું.