હંગેરીએ યુક્રેનમાંથી ભારતીયોને કાઢવામાં ખૂબ મદદ કરી હતી
યુક્રેન યુદ્ધમાં હંગેરીએ ભારતને ખૂબ મદદ કરી હતી. યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને હંગેરી લઈ જવાયા હતા અને ત્યાંથી ઘણાને ભારત લવાયા હતા. હવે પ્રધાનમંત્રી મોદીએ હંગેરીના પ્રધાનમંત્રી વિક્ટર ઓરબાનને ફોન કર્યો હતો.
PM Narendra Modi spoke on phone today with Viktor Orban, Prime Minister of Hungary. The two leaders discussed the ongoing situation in Ukraine and agreed on the need to ensure an immediate ceasefire and a return to diplomacy and dialogue: Prime Minister's Office
બન્ને નેતાઓએ યુક્રેનની સ્થિતિની સમિક્ષા કરી અને તાત્કાલિક યુદ્ધવિરામ જરુરી હોવાનું બન્નેને લાગ્યું હતું. તેમણે બન્ને એવી પણ ચર્ચા કરી કે ડિપ્લોમેસી અને ડાયલોગ દ્વારા બન્ને વચ્ચેના વિવાદનો ઉકેલ લાવવો જોઈએ.
Prime Minister conveyed his warm thanks to PM Orban and to the Hungarian government for facilitating the evacuation of more than 6000 Indian citizens through the Ukraine - Hungary border: Prime Minister's Office (PMO)
પ્રધાનમંત્રી મોદીએ પ્રધાનમંત્રી ઓરબાન અને હંગેરી સરકારનો ખાસ આભાર માન્યો હતો. હંગેરી સરકારે યુક્રેન-હંગેરી બોર્ડરેથી 6000 ભારતીયોને બહાર કાઢવામાં મોટી મદદ કરી હતી. 6000 ભારતીયોને બહાર કાઢવામાં મદદ કરવા બદલ પ્રધાનમંત્રીએ હંગેરીના પીએમનો આભાર માન્યો હતો. ભારતે પોલેન્ડ અને હંગેરીના માર્ગે ભારતીયોને બહાર કાઢવા પડ્યાં હતા.
યુક્રેનમાં ફસાયેલા 17,000થી વધુ વિદ્યાર્થીઓ સ્વદેશ પરત ફર્યા
વિદેશ મંત્રાલયે કહ્યું કે યુક્રેનના યુદ્ધગ્રસ્ત સુમી શહેરમાંથી તમામ ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા છે અને વિદ્યાર્થીઓ બસોમાં બેસીને પોલટાવા શહેર જવા રવાના થયા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વિટ કરીને કહ્યું કે, "એ જણાવતા આનંદ થાય છે કે અમે તમામ ભારતીય વિદ્યાર્થીઓને સુમીમાંથી બહાર કાઢ્યા છે. તેઓ હાલમાં પોલ્ટાવા શહેર તરફ જઇ રહ્યા છે જ્યાંથી તેઓ પશ્ચિમી યુક્રેનની ટ્રેનોમાં સવાર થશે." તેમણે કહ્યું કે, ઓપરેશન ગંગા અભિયાન હેઠળ ફ્લાઇટ્સમાં તેમને ભારત પાછા લાવવામાં આવશે. રશિયાએ 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર હુમલો શરૂ કર્યો ત્યારથી અત્યાર સુધીમાં ભારતે પૂર્વીય યુરોપિયન દેશમાં ફસાયેલા 17,100 થી વધુ ભારતીય વિદ્યાર્થીઓને પાછા લાવ્યા છે. સુમીમાં રશિયન અને યુક્રેનિયન સૈનિકો વચ્ચે ઘણા દિવસોથી યુદ્ધ ચાલી રહ્યું છે.
આજે યુદ્ધનો 14મો દિવસ
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે 14મો દિવસ છે. બંને દેશો વચ્ચે આ સંઘર્ષ ક્યાં સુધી ચાલુ રહેશે તેની હાલ કોઈ ગેરંટી નથી. યુદ્ધવિરામને લઈને બંને દેશો વચ્ચે ત્રણ રાઉન્ડની વાતચીત પણ થઈ ચૂકી છે પરંતુ કોઈ ઉકેલ આવ્યો નથી. તે જ સમયે, આજે, બંને પક્ષોએ યુક્રેનમાં ફસાયેલા નાગરિકોની સલામત બહાર નીકળવાની ખાતરી કરવા માટે સલામત કોરિડોર પર સંમત થયા છે, જે પછી મોટી સંખ્યામાં લોકો ત્યાંથી નીકળી ગયા છે.