પોતાની સુરક્ષાને લઈને ચિંતિત રશિયાએ યુક્રેન સાથે ગુરૂવારે યુદ્ધનું એલાન કરી દીધું હતું. ત્યારથી લઈને આત્યાર સુધી બંને દેશો વચ્ચે કેટલાય સૈનિકો અને નાગરિકો માર્યા ગયા હોવાના સમાચાર આવ્યા છે.
રશિયા અને યુક્રેન વચ્ચે વિવાદ
યુક્રેને કર્યો મોટો દાવો
1000થી વધારે લોકોને પતાવી દીધા હોવાનો દાવો
પોતાની સુરક્ષાને લઈને ચિંતિત રશિયાએ યુક્રેન સાથે ગુરૂવારે યુદ્ધનું એલાન કરી દીધું હતું. ત્યારથી લઈને આત્યાર સુધી બંને દેશો વચ્ચે કેટલાય સૈનિકો અને નાગરિકો માર્યા ગયા હોવાના સમાચાર આવ્યા છે. જેને લઈને અલગ અલગ દાવાઓ સામે આવી રહ્યા છે. આ જ ક્રમમાં હવે યુક્રેનના રક્ષા મંત્રાલયનું મોટું નિવેદન સામે આવ્યું છે. યુક્રેને દાવો કર્યો છે કે, જવાબી કાર્યવાહીમાં તેમણે રશિયાના 1000થી વધારે સૈનિકો પતાવી દીધા છે. જો કે, રશિયા તરફથી હજૂ સુધી આવું કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.
Ukraine's Defence Ministry says more than 1,000 Russian soldiers were killed so far in Ukraine conflict: Reuters
એક રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર યુક્રેનના રક્ષા મંત્રાલયે એક હજાર રશિયાના સૈનિકોને મારી નાખ્યા હોવાનો દાવો કર્યો છે. આ અગાઉ શુક્રવારે સવારે યુક્રેન તરફથી દાવો કરવામાં આવ્યો હતો કે, તેમણે રશિયાના લગભગ 800 જેટલા લોકોને પતાવી દીધા છે. પણ રશિયા તરફથી તેની કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નહોતી. તો વળી રશિયા અને યુક્રેનની વચ્ચે મામલો થાળે પાડવા માટે ભારત સહિત દુનિયાભરના પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ બંને દેશો સાથે વાતચીત દ્વારા સમસ્યાનું હલ કાઢવા માટે અપીલ કરી રહ્યા છે.
રશિયા વાત કરવા માટે તૈયાર
તો વળી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપીંગે રાષ્ટ્રપતિ પુતિન સાથે ફોન પર વાતચીત કરી અને યુક્રેન સાથે એક ટેબલ પર બેસીને કોઈ નિરાકરણ પર પહોંચવાની અપીલ કરી છે. શી જિનપીગે આ સૂચનો પુતિનો સ્વિકાર કરી લીધો છે અને તેમણે કહ્યું છે કે, યુક્રેન સાથે વાતચીત કરવા માટે તૈયાર છે. મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે, જો યુક્રેન હથિયાર હેઠા મુકશે, તો તે વાતચીત કરવા માટે તૈયાર છે. શુક્રવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ચીની રાષ્ટ્રપતિ શી જિનપીંગને કહ્યું કે, રશિયા યુક્રેન સાથે ઉચ્ચ સ્તરિય વાર્તામાં શામેલ થવા તૈયાર છે. આ સમાચાર સામે આવ્યા બાદ રશિયા અને યુક્રેન વચ્ચે હિંસા ઓછી થવાના અણસાર વર્તાઈ રહ્યા છે.