રશિયન મીડિયા જ્યારે સતત કહી રહ્યું છે કે, ઝેલેન્સ્કી પોતાનો દેશ છોડીને ભાગી ગયા છે. એ દરમ્યાન યુક્રેનના રાષ્ટ્રપતિ વતી વીડિયો જાહેર કરીને પોતે કીવમાં જ હોવાનો દાવો કરાયો છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનો વીડિયો જાહેર
વીડિયોમાં ઝેલેન્સ્કીએ કર્યો મોટો દાવો
હું કીવમાં જ છું, હું કોઈથી ડરતો નથી : ઝેલેન્સ્કી
યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને આજે 13મો દિવસ થયો છે. બંને દેશો વચ્ચેના ત્રીજા રાઉન્ડની વાતચીતનું પણ કંઇ યોગ્ય પરિણામ ન આવ્યું. એવામાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ એક વીડિયો જાહેર કર્યો છે જેમાં તેઓએ દાવો કર્યો છે કે, તેઓ પોતે કીવમાં છે. હું કોઈથી ડરતો નથી. હું છુપાઇને પણ નથી રહ્યો. વીડિયોમાં વધુમાં એમ પણ કહ્યું કે, અમે યુદ્ધ જીતવા માટે તમામ પ્રયાસો કરી રહ્યાં છીએ. તમને જણાવી દઇએ કે, યુક્રેનના રાષ્ટ્રપતિ વતી વીડિયો જાહેર કરીને આ દાવો એવાં સમયે કરવામાં આવ્યો છે કે જ્યારે રશિયન મીડિયા દ્વારા સતત એવું કહેવામાં આવી રહ્યું છે કે, ઝેલેન્સ્કી દેશ છોડીને ભાગી ગયા છે. ત્યારે અગાઉ પણ ઝેલેન્સ્કી વતી આવો દાવો કરવામાં આવ્યો હતો.
યુદ્ધવિરામ બાદ પણ રશિયાના હુમલા ચાલુ
અગાઉ, પણ રશિયાએ નાગરિકોને બહાર નીકાળવા સોમવાર સવારથી યુદ્ધવિરામ સાથે ઘણાં વિસ્તારોમાં માનવતાવાદી કોરિડોર ખોલવાની જાહેરાત કરી હતી. જો કે ખાલી કરાવવાના માર્ગો તરફ મોટા ભાગે રશિયા અને તેના સાથી દેશો બેલારુસ તરફ જઇ રહ્યાં છે. દરમ્યાન નાગરિકોને બહાર નીકાળવામાં આવી રહ્યાં છે કે કેમ તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. કોરિડોરની નવી જાહેરાત બાદ પણ રશિયન દળોએ યુક્રેનના કેટલાંક શહેરો પર રોકેટ હુમલા અને કેટલાંક વિસ્તારોમાં ભીષણ લડાઈ શરૂ રાખી છે.
ઉત્તર, દક્ષિણ અને મધ્ય યુક્રેનના શહેરોમાં રશિયા દ્વારા ગોળીબાર ચાલુ હોવાથી હજારો યુક્રેનિયનો સુરક્ષિત રીતે ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યાં છે. રશિયન સંરક્ષણ મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું કે રાજધાની કીવ, દક્ષિણી બંદર શહેર મારીયુપોલ, યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખારકિવ અને સુમીમાંથી નાગરિકોને બહાર નીકાળવા માટે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી. તેમજ સોમવારના રશિયા-યુક્રેન વચ્ચે ત્રીજા રાઉન્ડની વાતચીત પણ યોજાઈ હતી. વાટાઘાટો સમાપ્ત થયા બાદ યુક્રેનનાં રાષ્ટ્રપતિ વોલોદીમિર ઝેલેન્સ્કીના સલાહકારે જણાવ્યું હતું કે, સલામત કોરિડોરની રચના અંગે સાધારણ પ્રગતિ કરવામાં આવી છે. જો કે, તેમણે મીટિંગની વધુ વિગતો શેર ન હોતી કરી.
Informed Indian PM Modi about Ukraine countering Russian aggression. India appreciates the assistance to its citizens during the war & Ukraine's commitment to direct peaceful dialogue at the highest level. Grateful for the support to the Ukrainian people: Ukrainian Pres Zelensky pic.twitter.com/jbpSs6EuTe
ઉલ્લેખનીય છે કે, PM મોદી સાથે ફોન પર વાતચીત થયા બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ ટ્વિટ કરીને મહત્વનું નિવેદન આપ્યું હતું. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ તેમની વાતચીત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે. ઝેલેન્સકીએ ટ્વિટ કર્યું કે મેં પીએમ મોદીને રશિયાની આક્રમક કાર્યવાહી પર યુક્રેનની પ્રતિક્રિયા વિશે જણાવ્યું. તેમણે કહ્યું કે ભારતે યુદ્ધ દરમિયાન ભારતીય નાગરિકોને આપવામાં આવી રહેલી સહાય અને ટોચના સ્તરે સીધી વાતચીત માટે યુક્રેનની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી.
અમારી જમીન પર અત્યાર કરનારા તમામ લોકોને સજા આપીશું : ઝેલેન્સ્કી
ઝેલેન્સ્કીએ એક સંબોધનમાં કહ્યું કે, 'આ હત્યા છે, જાણી જોઈને કરવામાં આવેલી હત્યા. કારણ કે, રશિયાએ સોમવારે વધુ આક્રમક રીતે ગોળીબાર કરવાની ચેતવણી આપી છે. અમે તેને ક્યારેય નહીં ભૂલીએ અને ન તો તેમાં સામેલ લોકોને માફ કરીશું. અમે અમારી જમીન પર અત્યાર કરનારા તમામ લોકોને સજા આપીશું. કબર સિવાય આ ધરતી બીજી કોઈ શાંત જગ્યા હોઈ શકે નહીં.'