રશિયા-યુક્રેન વચ્ચે છેલ્લાં 12 દિવસથી સતત ધમાસાણ યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે યુક્રેનના રક્ષામંત્રીનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેઓએ જણાવ્યું કે, 'અમને પણ હવે પૂરતા હથિયારો અને દારૂગોળો મળી ગયા છે એટલે હવે અમે પણ રશિયાને 'આંચકો' આપીશું.'
રશિયાએ કરેલા સીઝફાયર વચ્ચે યુક્રેનના રક્ષામંત્રીનું ચોંકાવનારું નિવેદન
અમને જે જોઈતું હતું તે મળી ગયું, હવે રશિયાનો વારો : યુક્રેનના રક્ષામંત્રી
યુક્રેન સાથે ચાલતા યુદ્ધ વચ્ચે હવે ચીન પણ મધ્યસ્થી બનવા તૈયાર
અમને પણ મુખ્ય હથિયારો અને દારૂગોળો મળી ગયા, હવે રશિયાને દેખાડીશું : યુક્રેનનાં સંરક્ષણ પ્રધાન
યુક્રેનના સંરક્ષણ પ્રધાને જણાવ્યું કે, 'હવે અમને પણ પૂરતા હથિયારો અને દારૂગોળો મળી ગયા છે. આથી અમે પણ રશિયન સૈન્યને હવે "આંચકો" આપીશું.'
અત્યાર સુધીમાં લગભગ 15 લાખ લોકોને યુક્રેન છોડવાની ફરજ પડી
સુમીમાં ભારતીય વિદ્યાર્થીઓ પણ ફસાયેલા છે. અત્યાર સુધીમાં લગભગ 15 લાખ લોકોને યુક્રેન છોડવાની ફરજ પડી છે. રશિયન સૈન્યએ યુક્રેનના પડોશી દેશોને ચેતવણી આપતા કહ્યું કે, જે દેશ યુક્રેનને 'નો-ફ્લાય ઝોન' જાહેર કરશે તેને યુદ્ધમાં સામેલ ગણવામાં આવશે. યુરોપિયન યુનિયનના નેતા ચાર્લ્સ મિશેલે યુક્રેનિયન એરસ્પેસ પર 'નો-ફ્લાય ઝોન' લાદવાની યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમિર ઝેલેન્સ્કીની અપીલ સામે વાંધો ઉઠાવ્યો છે અને કહ્યું કે, 'આમ કરવાથી વિશ્વ યુદ્ધ થઈ શકે છે.'
Prime Minister Modi spoke on phone to President Volodymyr Zelensky of Ukraine.The phone call lasted for about 35 minutes. The two leaders discussed the evolving situation in Ukraine. PM appreciated the continuing direct dialogue between Russia & Ukraine: GoI Sources
PM મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેંસ્કી સાથે ફોન પર 35 મીનિટ સુધી વાતચીત કરી
રશિયા અને યુક્રેન વચ્ચેના જંગને દશ દિવસથી પણ વધારેનો સમય થઈ ગયો છે. જો કે, હવે થોડા રાહતના સમાચાર આવ્યા છે. રશિયાએ અમુક શહેરોમાં સિઝફાયરનું એલાન કર્યું છે. જેથી ત્યાં ફસાયેલા નાગરિકોને બહાર કાઢી શકાય છે. આ તમામની વચ્ચે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેંસ્કી સાથે ફોન પર 35 મીનિટ સુધી વાતચીત કરી હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ બંને નેતાઓને વાતચીત કરવાની ફરી એક વાર સલાહ આપી છે. અને વાતચીત દ્વારા આ મુદ્દાનું હલ શોધવા ભલામણ કરી છે.
રશિયાએ ચાર શહેરોમાં કરી યુદ્ધવિરામની જાહેરાત
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના 12માં દિવસે રશિયાએ નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે યુદ્ધવિરામની જાહેરાત કરી છે. રશિયાએ યુક્રેનના ચાર શહેરો કિવ, મારુપોલ ખાર્કિવ અને સુમીમાં બપોરે 12.30 વાગ્યાથી યુદ્ધવિરામ જાહેર કર્યો છે. આ દરમિયાન રશિયા ડ્રોનમાંથી બહાર નીકળતા લોકોની હિલચાલ પર ચાંપતી નજર રખાશે. રશિયાનો આરોપ છે કે, યુક્રેન આ યુદ્ધવિરામ દરમિયાન કંઈક ખોટું કરી શકે છે.
યુક્રેને રશિયાની ઘણી ટેન્કોને પણ નષ્ટ કર્યાનો દાવો
આ પહેલા સોમવારે સવારે રશિયાએ યુક્રેનના ખાર્કિવ શહેરમાં રહેણાંક ઇમારતોને નિશાન બનાવી હતી. જો કે લોકોને પહેલાથી જ બંકરો સહિત સુરક્ષિત સ્થળો પર જવાની સલાહ આપવામાં આવી હતી, પરંતુ હજુ પણ કેટલાંક લોકો ત્યાં ફસાયા હોવાની આશંકા છે. અહીં યુક્રેને રશિયાની ઘણી ટેન્કોને પણ નષ્ટ કર્યાનો દાવો કરાયો છે.
ભારતને જર્મનીનું સમર્થન
જર્મન એમ્બેસેડર વોલ્ટર જે. લિંડનરે યુક્રેન યુદ્ધ પર રશિયન રાષ્ટ્રપતિની ભૂમિકા પર સવાલ ઉઠાવતા કહ્યું કે પહેલા દિવસથી, પુતિન જૂઠું બોલી રહ્યા છે. તેમણે કહ્યું કે તેઓ હુમલો કરી રહ્યા નથી પરંતુ ત્યાં રશિયન લોકોને બચાવી રહ્યા છે અને હવે ગોળીબાર અને બોમ્બ ધમાકા થઇ રહ્યા છે. નાટો એક રક્ષા ગઠબંધન છે. અમે ક્યારેય આક્રમક રહ્યા નથી. ક્યારેક કોઇ વસ્તુ પર હુમલો કર્યો નથી.
ભારતના વલણની પ્રશંસા
બુધવારે યુક્રેન વિરુદ્ધ રશિયાની સૈન્ય કાર્યવાહીના વિરોધમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં એક પ્રસ્તાવ પર મતદાન કરવામાં આવ્યું. ભારત સહિત 34 દેશોએ આ દરમિયાન મત આપ્યો ન હતો. આ પહેલા પણ ભારતે યુએનજીએમાં યુક્રેન સંકટ પર વિશેષ કટોકટી સત્ર યોજવાના પ્રસ્તાવ પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં રશિયા વિરુદ્ધ મતદાનમાં પણ ભારતે વોટિંગ કરવામાં અંતર જાળવ્યુ હતું.
India has excellent diplomatic service, they know what to do... It's not about Ukraine or the EU, it is about the global world order...We all have to stand together against it...: Walter J Lindner, German Envoy to India on #UkraineCrisispic.twitter.com/jMdtoJY7K4
ચીન અને સંયુક્ત આરબ અમિરાત સાથે ભારત છેલ્લા અઠવાડિયે યુક્રેનમાં રશિયાની સૈન્ય કાર્યવાહી વિરુદ્ધ અમેરિકા દ્વારા પ્રાયોજિત પ્રસ્તાવને પણ ટાળ્યો હતો. વધુમાં લિંડનરે કહ્યું કે વૈશ્વિક વ્યવસ્થા જુઓ. શું આપણે ઇચ્છીએ છીએ કે એક શાંતિપૂર્ણ અને લોકતાંત્રિક પાડોશી દેશ પર આ પ્રકારે વ્યાપક અને આક્રમક હુમલો કરવો એ રમતનો નિયમ છે ? આ ભવિષ્યમાં દરેક વિવાદિત સીમા માટે હિંસાનો સહારો લેવાની મિસાઇલને કાયમ કરશે. આથી આપણે બધાએ પુતિન વિરુદ્ધ એકજૂછ થવું પડશે અને કહેવુ પડશે કે પુતિન આને રોકો.