ભારતીય વિદેશમંત્રી એસ.જયશંકરે રશિયા યુક્રેન મામલે દુનિયાને સંભળાવ્યું છે.
નોર્વેના વિદેશ મંત્રી સાથે જયશંકરે કરી મુલાકાત
રશિયા-યુક્રેન મામલે દુનિયાને સંભળાવ્યું
યુક્રેન સંઘર્ષમાં ભારતની સ્થિતિ સ્પષ્ટ
વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકરે ફરી એક વખત રશિયા-યુક્રેન મુદ્દે ભારતનો રાગ આલાપ્યો છે. વિદેશ મંત્રાલયના રાયસીના ડાયલોગ કાર્યક્રમમાં તેમણે ફરી એકવાર સ્પષ્ટ કર્યું કે યુક્રેન સંઘર્ષમાં ભારતની સ્થિતિ સ્પષ્ટ છે. અમે લડતનો તાત્કાલિક અંત ઇચ્છીએ છીએ અને મુત્સદ્દીગીરી દ્વારા સંવાદનો આગ્રહ રાખીએ છીએ.
યુક્રેન યુદ્ધ આખા યુરોપ માટે ખતરાની ઘંટી છે
જયશંકરે નોર્વેના વિદેશમંત્રી સાથેની મુલાકાતમાં કહ્યું કે યુક્રેન યુદ્ધ આખા યુરોપ માટે ખતરાની ઘંટી છે. તેમણે કહ્યું કે અમે દેશોની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનો આદર કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂકીએ છીએ.
#WATCH | When rules-based order was under challenge in Asia, the advice we got from Europe is- do more trade. At least we are not giving you that advice... We should find a way of returning to diplomacy& dialogue: EAM Dr S Jaishankar about India's stand on #RussiaUkraine conflict pic.twitter.com/Zf6c2cTAkV
નોર્વેના વિદેશ મંત્રી અનિકેન હુયતફેલ્ડના સવાલના જવાબમાં જયશંકરે કહ્યું કે રશિયા અમારા સંપર્કમાં છે તેના કરતા વધારે યુરોપના દેશો સાથે સંપર્કમાં છે. જ્યાં સુધી લોકતાંત્રિક રુદનની વાત છે તો ગયા વર્ષે અફઘાનિસ્તાનમાં જે કંઇ પણ થયું, તમામ લોકતાંત્રિક દેશો તેની પર નજર રાખી રહ્યા છે. ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં આપણા માટે જે પડકારો છે તેના પર કોઈ લોકશાહી દેશ ક્યાં કાર્યવાહી કરે છે?
અમે તમને સલાહ નથી આપી રહ્યાં-જયશંકર
જયશંકરે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે એશિયામાં નિયમ આધારિત શાસનને પડકારવામાં આવી રહ્યું હતું, ત્યારે અમને યુરોપ તરફથી વધુ બિઝનેસ કરવાની સલાહ મળી હતી. કમ સે કમ અમે તમને એ સલાહ તો નથી આપી રહ્યા ને... આપણે મુત્સદ્દીગીરી અને સંવાદ પર પાછા ફરવાનો માર્ગ શોધવો જ જોઇએ. અફઘાનિસ્તાન તરફ જુઓ અને કૃપા કરીને મને જણાવો કે વિશ્વના દેશોએ કઈ ન્યાયી નિયમ-આધારિત પદ્ધતિ અપનાવી હતી.