યુદ્ધને કારણે યુક્રેન છોડીને ભારત આવેલા ડોક્ટરી વિદ્યાર્થીઓને સરકારે એમબીએસએસની ફાઈનલ પરીક્ષા પાસ કરવાની એક તક આપી છે.
યુદ્ધને કારણે યુક્રેન છોડીને દેશમાં આવેલા MBBSના વિદ્યાર્થીઓને રાહત
મેડિકલ કોલેજ એડમિશન વગર વિદ્યાર્થીઓને MBBSની ફાઈનલ પાસ કરવાની તક
વિદ્યાર્થીઓને ભાગ 1 અને ભાગ 2 પરીક્ષા પાસ કરવાની એક તક અપાશે
કેન્દ્રએ મંગળવારે સુપ્રીમ કોર્ટને માહિતી આપી હતી કે યુક્રેનથી ભારત પરત ફરેલા વિદ્યાર્થીઓને કોઈ પણ હાલની મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યા વિના ભાગ 1 અને ભાગ 2 પરીક્ષાઓ (થિયરી અને પ્રેક્ટિકલ બંને) એમ બંને એમબીબીએસ ફાઇનલ પાસ કરવાની એક જ તક આપવામાં આવશે. આ સંદર્ભમાં કેન્દ્ર સરકારે સુપ્રીમને જાણ કરી હતી કે યુક્રેનથી ભારત પરત ફરેલા વિદ્યાર્થીઓને એમબીબીએસ ફાઇનલ, ભાગ 1 અને ભાગ 2 પરીક્ષાઓ (થિયરી અને પ્રેક્ટિકલ બંને) કોઈપણ હાલની મેડિકલ કોલેજોમાં પ્રવેશ મેળવ્યા વિના પાસ કરવાની એક જ તક આપવામાં આવશે.
Centre informs Supreme Court that students who returned to India from Ukraine will be offered a single chance to clear the MBBS Final, both Part I & Part II Examinations (both Theory and Practical) without enrolling in any existing medical colleges.
2 વર્ષની રોટરી ઈન્ટર્નશિપ ફરજિયાત
કેન્દ્ર સરકારે સુપ્રીમમાં એવું પણ કહ્યું કે ભાગ 1 અને ભાગ 2 પરીક્ષાઓ પાસ કર્યાં બાદ વિદ્યાર્થીઓએ ફરજિયાત રોટરી ઇન્ટર્નશિપના 2 વર્ષ પૂર્ણ કરવા પડશે, જેમાંથી પ્રથમ વર્ષ મફત રહેશે અને બીજા વર્ષની ફી ભરવી પડશે.
Centre informs SC that after clearing these two examinations, students would have to complete 2 years of compulsory rotatory internship, first year of which will be free and the second year paid as has been decided by NMC for previous cases.
હાલના સંજોગોમાં લાગુ પડશે, ભવિષ્યનો આધાર નહીં બને
સરકારની કમિટીએ જણાવ્યું કે આ વિકલ્પ ચુસ્તપણે એક વખતનો વિકલ્પ હશે અને ભવિષ્યમાં આવા બીજો કોઈ નિર્ણયોનો આધાર નહીં બને અને તે હાલના સંજોગોમાં જ લાગુ પડશે. યુક્રેનથી પાછા આવેલા વિદ્યાર્થીઓને ચિંતાઓ દૂર કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક સમિતીની રચના કરવામાં આવી હતી. સમિતિએ સ્પષ્ટ કર્યું છે કે આ એક વખતનો વિકલ્પ છે જેનો ઉપયોગ ભવિષ્યમાં આવા નિર્ણયો લેવા માટે કરવામાં આવશે નહીં.
આ પહેલા પણ સરકારે આપી હતી રાહત
ઉલ્લેખનીય છે કે આ પહેલા નેશનલ મેડિકલ કમિશને મેડિકલના વિદ્યાર્થીઓને ભારત કે વિદેશની કોઈ પણ કોલેજમાં એડમિશન લેવાની મંજૂરી આપી હતી પરંતુ હવે તેઓ કોઈ પણ મેડિકલ કોલેજમાં દાખલ થયા વગર એમબીબીએસની પરીક્ષા પાસ કરી શકશે.