જો કોરોના વાયરસને લઇને આ દેશ દ્વારા જો સમય પર તૈયારીઓ ન કરવામાં આવી હોત તો અહીં મોટું નુકસાન થવાની સંભાવના હતી. આ દેશનું નામ છે - બ્રિટેન. આ અનુમાન લગાવામાં આવ્યું છે કે બ્રિટનની સરકારની સાથે કામ કરી રહેલા વૈજ્ઞાનિકોએ. જો કે બ્રિટેનની સરકારે જે પગલા હજુ સુધી લીધા છે, તેનાથી સ્થિતિ નિયંત્રણમાં આવી શકે છે, પરંતુ લોકડાઉન ખત્મ થવામાં હજુ 18 મહીના લાગી શકે છે.
વૈજ્ઞાનિકોની ટીમ સરકાર સાથે મળીને કોરોના વાયરસ સામે લડવા માટે કરી રહી છે કામ
બ્રિટેનમાં લોકડાઉન ખત્મ થવામાં હજુ લાગી શકે છે 18 મહીના
આ બિમારીની વેકસીન બનવામાં હજી લાગી શકે છે એક વર્ષનો સમય
બ્રિટેનના પ્રધાનમંત્રી બોરિસ જૉનસને 16 માર્ચના રોજ દેશને સંબોધન કરતાંકહ્યું હતું કે કોઇ પોતાનું ઘર ન છોડે. જ્યાં સુધી થઇ શકે વર્ક ફ્રોમ હોમ એટલે કે ઘરેથી કામ કરો.
એક મીડિયામાં છપાયેલા સમાચાર મુજબ ઇમ્પીરિયલ કૉલેજ લંડનના વૈજ્ઞાનિકોની એક ટીમ સરકાર સાથે મળીને કોરોના વાયરસ સામે લડવા માટે કામ કરી રહી છે. આ ટીમનું નેતૃત્વ પ્રોફેસર નીલ ફર્ગુસન કરી રહ્યાં છે.
પ્રો. ફર્ગુસને જણાવ્યું કે જો કોરોના વાયરસનો કહેરનું પ્રમાણ વધશે તો પણ અહીં નવા અને કડક નિયમ તેમજ પ્રતિબંધોના કારણે 20 હજારથી વધારે મૃત્યું થવાની શક્યતા નથી. જો કે હાલની સ્થિતિને જોતાં 9-10 હજાર લોકોના મૃત્યું થઇ શકે તેમ છે, જો લોકોએ જાતે ધ્યાન ન આપ્યું તો.
દેશમાં જે કડક પ્રતિબંધ લગાવામાં આવ્યાં છે તેનાથી કોરોના વાયરસ રોકાઇ શકે છે, પરંતુ આ બિમારીની વેકસીન બનવામાં હજી એક વર્ષનો સમય લાગી શકે છે. ત્યાં સુધી દેશમાં લૉકડાઉ અથવા શટડાઉનની સ્થિતિ રહી શકે છે.
આમ હાલમાં, યૂકે એટલે કે યૂનાઇટેડ કિંગડમમાં અત્યાર સુધીમાં 1543 લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે. જ્યારે 55 લોકોનાં મોત નિપજ્યાં છે. પરંતુ વાયરસની અસર હજુ સુધી ખત્મ થઇ નથી.
બ્રિટનમાં પણ ચીનની જેમ પૂરા દેશમાં કડક પ્રતિબંધ લગાવામાં આવ્યાં છે. જેમાં સૌથી જરૂરી પ્રતિબંધ છે કે સાર્વજનિક સ્થાનો પર લોકો ભેગુ થવુ કે મળવું. જો આ કડક નિયમ લગાવામાં ન આવે તો મુશ્કેલી ઉભી થઇ શકે છે.
સરકારે માન્યુ છે કે હજુ લૉકડાઉન અથવા શટડાઉની સ્થિતિ એટલે કે બધુ બંધ રાખવાની સ્થિતિ 12 થી 18 મહીના સુધી રહી શકે છે. જો કે વચ્ચે-વચ્ચે થોડી રાહત મળે તેવી સંભાવના છે, પરંતુ જ્યાં સુધી વેકસીન બનીને તૈયાર થતી નથી ત્યાં સુધી લૉકડાઉન હટાવવામાં આવશે નહીં.