બ્રિટનમાં ફાઇઝરની કોરોના વેક્સિન આપવાથી 2 લોકોની તબિયત બગડી હોવાના અહેવાલો પ્રસિદ્ધિ થતા જ ચકચાર મચી જવા પામી છે. ત્યારબાદ નેશનલ હેલ્થ સર્વિસે ચેતવણી જાહેર કરવી પડી છે.
ફાઇઝર કોરોના વેક્સિન લીધા બાદ 2 વ્યક્તિ પડી બિમાર
ભારતમાં કંપનીએ વેક્સિનેશન માગી છે મંજૂરી
ભારતની ચિંતા વધી
ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસ વેક્સિનેશન શરૂ થયાના અહેવાલો 24 કલાકમાં પ્રકાશમાં આવ્યા હતા અને હવે સરકારની ચિંતામાં પણ વધારો થયો છે. જેની તબિયત લથડી છે તે પૈકીની એક વ્યક્તિ આરોગ્યકર્મી છે. જો કે, ફાઇઝરે ભારતમાં વેક્સિનેશન માટે સરકારની મંજૂરી માગી છે ત્યારે હવે તમામ લોકોની નજર સરકારના નિર્ણય પર મંડરાયેલી છે.
ફાઇઝરથી ગંભીર પરિણામો પણ આવી શકે
બ્રિટીશ મેડિસીન્સ અને હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સી અનુસાર, યુકેમાં ગંભીર એલર્જીના ઇતિહાસવાળા લોકોની ચોક્કસ સંખ્યા વિશે કોઈ માહિતી નથી. એવું માનવામાં આવે છે કે આ દેશમાં લગભગ 70 લાખ લોકો છે જેમને ખોરાક, દવા અથવા રસીથી એલર્જી થઈ શકે છે. આવી સ્થિતિમાં જો આ લોકોને ફાઇઝર રસી આપવામાં આવે તો તેના ગંભીર પરિણામો આવી શકે છે.
ઇંગ્લેન્ડમાં 2 લોકો થઇ રહ્યા છે સાજા
ઇંગ્લેન્ડના એનએચએસના રાષ્ટ્રીય તબીબી નિયામક પ્રોફેસર સ્ટીફન પોવીઝે જણાવ્યું હતું કે સલાહ સાવચેતીના આધારે આપવામાં આવી હતી. કોઈને ગભરાવાની જરૂર નથી. આ રસીની વિપરીત અસર થતાં બે લોકો પણ સ્વસ્થ થઈ રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બંને આરોગ્ય કર્મચારીઓ Anaphylactoid Reactionsનો શિકાર હતા.
ભારતમાં કેમ ચિંતા વધી
ફાઈઝર કંપનીના ભારતીય એકમએ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયન ડ્રગ્સ (ડીજીસીઆઈ) પાસે ફાઇઝર / બાયોટેક રસીના કટોકટી ઉપયોગ માટે પરવાનગી માંગી છે. યુકેમાં આ રસીને મંજૂરી મળ્યા પછી, ફાઈઝર અને બિયોંટેકને આગામી દિવસોમાં અન્ય દેશોમાં પણ આ રસી મંજૂરી મળે તેવી સંભાવના છે.
ભારતમાં આ પ્રકારનો કોઈ સરકારી ડેટા નથી, જેથી કયા દર્દીઓમાં પહેલા એલર્જીના કેસ થયા છે તે જાણી શકાય. આવી સ્થિતિમાં, જો એલર્જીની સંભાવના વધારે હોય તેવા વ્યક્તિને રસી આપવામાં આવે તો તેના ગંભીર પરિણામો આવી શકે છે.